Kerala Corona Update: વધુ સંક્રમણવાળા વિસ્તારોમા લાગુ થશે કડક પ્રતિબંધો, છેલ્લા 24 કલાકમાં 152 લોકોના મોત

કેરળ રાજ્યના શિક્ષણ મંત્રી વી શિવકુટ્ટીએ (Education Minister V Sivankutty) દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર શાળાઓ ફરીથી ખોલવાની યોજના ઘડવાની પ્રક્રિયામાં છે અને તે 15 ઓક્ટોબર પહેલા મુખ્યમંત્રી વિજયનને સુપરત કરશે.

Kerala Corona Update: વધુ સંક્રમણવાળા વિસ્તારોમા લાગુ થશે કડક પ્રતિબંધો, છેલ્લા 24 કલાકમાં 152 લોકોના મોત
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 11:30 PM

કેરળના એવા વિસ્તારોમાં જ્યાં કોરોના વાઈરસ સંક્રમણનો (Coronavirus Infection) ફેલાવો વધારે છે. ત્યાં ખાસ કરીને કડક લોકડાઉન પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે રવિવારે આ માહિતી આપી હતી. મુખ્ય સચિવ વી.પી.જોય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જે વિસ્તારોમાં ‘વીકલી ઈન્ફેક્શન પોપ્યુલેશન રેશિયો’ (WIPR) 10થી વધુ છે, ત્યાં કડક પ્રતિબંધો લાગુ પડશે.

આદેશ મુજબ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા દર અઠવાડિયે આવા સ્થળોની ઓળખ કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી વેબસાઈટ અને અન્ય માધ્યમથી આપવામાં આવશે. આદેશ અનુસાર આ પછી જિલ્લા કલેક્ટર સૂચનાઓ અનુસાર સૂક્ષ્મ પ્રતિબંધિત વિસ્તારોને સૂચિત કરશે અને ત્યાં લોકડાઉન પ્રતિબંધ લાદશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પણ મહત્વનું છે કારણ કે રાજ્યમાં 4 ઓક્ટોબરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને 1 નવેમ્બરથી શાળાઓ ખોલવાની યોજના તૈયાર કરી રહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી વી શિવકુટ્ટીએ દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર શાળાઓ ફરીથી ખોલવાની યોજના ઘડવાની પ્રક્રિયામાં છે અને 15 ઓક્ટોબર પહેલા મુખ્યમંત્રી વિજયનને સુપરત કરશે.

એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે 4 ઓક્ટોબરે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પરત આવતા વિદ્યાર્થીઓ માટે કોવિડ -19 રસીની ઓછામાં ઓછો એક ડોઝ ફરજિયાત કર્યો છે. આ દરમિયાન રાજ્યએ સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ પુખ્ત વયના (18 વર્ષથી વધુ ઉંમરના લોકો) લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવાની તેની યોજના જાહેર કરી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 152 લોકોએ જીવ ગુમાવ્યા 

રવિવારે, રાજ્યમાં કોરોના વાઈરસ સંક્રમણના 19,653 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ મહામારીને કારણે 152 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, આ સાથે રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 45,08,493 થયા છે અને મૃત્યુઆંક 23,591 પર પહોંચી ગયો છે. હાલ કેરળમાં કોવિડ -19ના 1,73,631 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કેરળ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

કોવિડ સંક્રમણની દ્રષ્ટિએ કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક રહ્યું છે. દેશભરમાંથી નોંધાયેલા કુલ કેસોમાંથી 60 ટકા કેરળથી આવી રહ્યા છે. કેરળ પછી સૌથી વધુ સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. આ બે રાજ્યો ટોચ પર છે, જ્યાં મહત્તમ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે અન્ય ટોચના રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Maharashtra: પીએમ મોદીએ 7 વર્ષથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી,  તેમની આ જ વાત મને પસંદ છે,’ ભાજપના સાંસદ પ્રીતમ મુંડેએ કેમ આ નિવેદન આપ્યું?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">