વડાપ્રધાન મોદીનો ઉડતો અભેદ્ય કિલ્લો, જાણો એર ઇન્ડિયા વન વિમાનની શું છે વિશેષતા
'એર ઇન્ડિયા વન' (Air India One) પીએમની સેવામાં જોડાયું છે. આ વિમાન ખુબ જ ખાસ છે. ચાલો જણાવીએ તમને આ પ્લેનની વિશેષતાઓ વિશે.
એરફોર્સ વનની તર્જ પર બનેલું વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ (Air India One) પીએમની સેવામાં જોડાયું છે. પીએમ મોદી આ એર ઇન્ડિયા વન વિમાન સાથે બાંગ્લાદેશ પહોંચ્યા છે. આ વિમાનની ઘણી ખાસીયત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લેન 900 કિમીની ઝડપે ઉડાન ભરી શકે છે. ખૂબ જ સલામત આ જહાજની આગળ એક જામર છે, જે દુશ્મનના રડાર સિગ્નલને અવરોધે છે. તેના પર મિસાઇલ એટેકની અસર પણ નથી થતી. આ વિમાન હવાથી હવામાં પણ બળતણ ભરવામાં સક્ષમ છે. ચાલો જાણીએ આ વિમાનની વિશેષતા.
આકાશમાં હવે પીએમ મોદીનો અભેદ્ય કિલ્લો
વિમાનની વિશેષતા પણ તમને આશ્ચર્યચકિત કરશે. બી 777 વિમાનમાં અત્યાધુનિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે જેને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમીઝર્સ (LAIRCM) અને સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ (SPS) કહેવામાં આવે છે. ફેબ્રુઆરીમાં યુએસએ ભારતને આ બંને સંરક્ષણ પ્રણાલીઓને 19 મિલિયન ડોલરના ભાવે વેચવાની સંમતિ આપી હતી. વિમાનમાં આવા સુરક્ષા ઉપકરણો સજ્જ કરવામાં આવી રહ્યા છે જે સૌથી મોટા હૂમલાને પણ નિષ્ફળ કરી શકે છે. મિસાઇલ એટેકની પણ આ વિમાન પર કોઈ અસર નહીં થાય અને તે તેનો સામનો પણ કરી શકશે.
ક્વાર્ટર, લેબ, ડાઇનિંગ રૂમ સાથે એર ઇન્ડિયા વનમાં મોટી ઓફિસ
વિશેષ વાત એ છે કે એર ઇન્ડિયા વનમાં ક્વાર્ટર્સ, લેબ, ડાઇનિંગ રૂમ, વિશાળ ઓફિસ અને કોન્ફરન્સ રૂમ છે. તબીબી કટોકટી માટે વિમાનમાં તબીબી સેવા પણ ઉપલબ્ધ છે. તમને જણાવી દઇએ કે ભારતથી અમેરિકા સુધીની આટલા મોટા અંતરની મુસાફરી કરવા માટે પણ ક્યાંય પણ બળતણ ભરવા માટે ઉતરવાની જરૂર નથી. વિમાનની તમામ સુરક્ષા સુવિધાઓ યુએસ રાષ્ટ્રપતિના એરફોર્સ વન વિમાન જેવી જ છે.
પ્રતિ કલાક 900 કિ.મી.ની ઝડપે ઉડાન ભરી શકે છે
વિમાનમાં ટ્વીન GE90-115 એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનની મદદથી આ વિમાન કલાકના 900 કિ.મી.ની ઝડપે ઉડાન ભરી શકે છે. તેમાં ‘સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ’ (SPS) છે. આ વિમાનને કોઈપણ મિસાઇલ એટેક અથવા એર ક્રેશથી સુરક્ષિત રાખે છે. આ સ્વદેશી એરફોર્સ વનમાં એક વિશેષ સેન્સર લગાવવામાં આવ્યું છે. તે કોઈપણ મિસાઇલ એટેકની પહેલાથી માહિતી આપી શકે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે અમેરિકાના રાષ્ટ્રપતિના એર ફોર્સ વન વિમાન જેવી સલામત અને આધુનિક ટેકનોલોજી છે. આ વિમાનનું નામ એર ઇન્ડિયા વન છે. ભારતે વર્ષ 2018 માં બોઇંગ કંપની પાસેથી બે બોઇંગ -777 વિમાન ખરીદ્યા હતા.
પીએમ ઉપરાંત રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ પણ પ્રયોગ કરશે
આ બોઇંગ 777 વિમાન છે, જેને યુ.એસમાં એક અભેદ્ય હવાઈ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતે બે બોઇંગ 777 વિમાન ખરીદ્યા છે. ભારતીય વડા પ્રધાન ઉપરાંત, તેનો ઉપયોગ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા પણ કરવામાં આવશે.