છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સૌરવ ગાંગુલી ફરીથી હોસ્પિટલમાં દાખલ, બે નળી બ્લોક હોવાની વાત
ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવાની ફરીયાદને લઈને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગાંગુલીને કેટલાક દિવસ પૂર્વે આ જ પ્રકારની ફરીયાદ કરી હતી. હાલ સૌરવ ગાંગુલી કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતા, કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ થોડાક સમય પૂર્વે છાતીમાં દુંખાવાની ફરિયાદને લઈને, હોસ્પિટલમાં દાખલ થયેલા સૌરવ ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જો કે તે સમયે સૌરવ ગાંગુલીને હ્રદયરોગનો હળવો હુમલો આવ્યો હોવાનું તબીબોનું કહેવુ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આ શારીરિત સમસ્યા ગત 2 જાન્યુઆરીએ પોતાના ઘરે હળવી કસરત કરતા થઈ હતી.
ગાંગુલીને તે સમયે, કોલકત્તાની વુડલેન્ડ હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, સૌરવ ગાંગુલીને હોસ્પિટલના કર્મચારીઓનો આભાર માન્યો હતો. અને તેમને કહ્યુ હતુ કે, પૂર્ણ રીતે સ્વસ્થ છે.
દરમિયાન કૈલાશ વિજયવર્ગીયે એવુ જણાવ્યુ હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે જ તબીબો સાથે સંપર્કમાં છે. જરૂર પડે મુબઈ લઈ જવા પડે તો તેની વ્યવસ્થા કરાશે. અમિત શાહના કાર્યલયમાંથી સૌરવ ગાંગુલીના સ્વાસ્થય બાબતે પુછપરછ કરીને તમામ સ્થિતિ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.