સોનિયા ગાંધીએ કહ્યું, તમામ દળોની સહમતિથી બનાવો કોરોના વિરુદ્ધ લડવાની રણનીતિ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને કોરોના સંકટને પહોંચી વળવા માટેના કેટલાક ઉપાયો સાથે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે તમામ રાજકીય પક્ષોની સંમતિથી રણનીતિ ઘડવાની માંગ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોની સંમતિથી કોરોનાના પ્રતિકાર માટેની રણનીતિ બનાવવી જોઈએ.

સોનિયા ગાંધીએ કહ્યું, તમામ દળોની સહમતિથી બનાવો કોરોના વિરુદ્ધ લડવાની રણનીતિ
Congress President Sonia Gandhi ( File Photo)
Follow Us:
| Updated on: May 01, 2021 | 1:57 PM

કોંગ્રેસ અધ્યક્ષા Sonia Gandhi  એ કેન્દ્ર સરકારને કોરોના સંકટને પહોંચી વળવા માટેના કેટલાક ઉપાયો સાથે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે તમામ રાજકીય પક્ષોની સંમતિથી રણનીતિ ઘડવાની માંગ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોની સંમતિથી કોરોનાના પ્રતિકાર માટેની રણનીતિ બનાવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશને કોરોનાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા દરેક પગલાનું સમર્થન કરશે.

Sonia Gandhi  એ કહ્યું, વર્તમાન પરિસ્થિતિ માનવતાને હચમચાવી રહી છે. ક્યાંક ઓક્સિજનનો અભાવ છે, દવાઓની અછત  છે, ઘણી હોસ્પિટલોમાં બેડ નથી. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને અપીલ કરી છે કે હાલ આ  પરીક્ષાનો સમય છે. એકબીજાને મદદ કરો. જ્યારે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો.

Sonia Gandhi  એ કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે સરકારો જાગૃત થાય અને પોતાની ફરજો બજાવે. કેન્દ્ર સરકારે ગરીબો વિશે વિચારવું જોઇએ અને સ્થળાંતર અટકાવવાનું સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી 6 હજાર રૂપિયા ખાતામાં આપવા જોઈએ. કોરોના ટેસ્ટિંગમાં વધારો થવો જોઈએ. ઓક્સિજન, દવા અને હોસ્પિટલોનું સંચાલન યુદ્ધના સ્તરે થવું જોઈએ. મફત રસીકરણ કરવું જોઈએ. કોરોના રસીનો ભાવ તફાવત સમાપ્ત થવો જોઈએ. જીવન રક્ષક દવાઓની કાળાબજારી અટકાવવી જોઈએ. હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન તરત જ પહોંચાડવાની વ્યવસ્થા ઊભી થવી જોઈએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

છેલ્લા 24 કલાકમાં કોરોનાના  386452 નવા કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ના 386452 નવા કેસ આવતાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 18762976 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 31 લાખને વટાવી ગઈ છે. શુક્રવારના આંકડા મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વધુ 3498 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ ચેપથી અત્યાર સુધીમાં 208330 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોના રિકવરી દર 81.99 ટકા

કોરોનાની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 3170228 થઈ છે, જે ચેપના કુલ કેસોના 16.90 ટકા છે. કોરોના રિકવરી દર 81.99 ટકા પર આવી ગયો છે. મળતી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં 15384418 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે મૃત્યુ દર 1.11 ટકા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">