ટ્રેનના AC ડબ્બાઓમાં થાય છે આવી હરકતો!
ટ્રેનના વાતાનુકૂલિત એટલે કે AC કોચમાં મુસાફરી કરનારા સમૃદ્ધ લોકો પર એક ગંભીર આરોપ લાગ્યો છે અને તે છે ચોરીનો આરોપ. એક રેલવે અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે 2017-18 નાણાંકીય વર્ષમાં ટ્રેનના AC ડબ્બાઓમાંથી લાખો ટુવાલ, ચાદર અને ધાબળા ગાયબ થવાની ઘટના સામે આવી છે. રેલવેના AC ડબ્બાઓમાંથી 21 લાખ ટુવાલ, ચાદરો અને ધાબળાઓની થઈ ચોરી! […]
ટ્રેનના વાતાનુકૂલિત એટલે કે AC કોચમાં મુસાફરી કરનારા સમૃદ્ધ લોકો પર એક ગંભીર આરોપ લાગ્યો છે અને તે છે ચોરીનો આરોપ. એક રેલવે અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે 2017-18 નાણાંકીય વર્ષમાં ટ્રેનના AC ડબ્બાઓમાંથી લાખો ટુવાલ, ચાદર અને ધાબળા ગાયબ થવાની ઘટના સામે આવી છે.
રેલવેના AC ડબ્બાઓમાંથી 21 લાખ ટુવાલ, ચાદરો અને ધાબળાઓની થઈ ચોરી!
પાછલા નાણાંકીય વર્ષમાં દેશભરની ટ્રેન્સના AC કોચીસમાંથી આશરે કુલ મળીને 21,72,246 જેટલા ટુવાલ, ચાદરો અને ધાબળાઓની ચોરી થઈ જેમાં… 12,83,415 ટુવાલ 4,71,077 ચાદર 3,14,952 તકિયાના કવર 56,287 તકિયા 46,515 ધાબળાનો સમાવેશ થાય છે.
રેલ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું, “ગાયબ થયેલા આ સામાનની કુલ કિંમત રૂપિયા 14 કરોડ જેટલી થાય છે.”
આટલું જ નહીં, શૌચાલયોમાંથી મગ, ફ્લશ પાઈપ તેમજ અરીસાની ચોરી થવાના અહેવાલો પણ નિયમિત રીતે આવતા હોય છે. ચોરીની આ ઘટનાઓને લઈને રેલ વિભાગને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વર્તમાન સમયમાં એસી ડબ્બાઓમાં દરરોજનું 3.9 લાખ લિનન મુસાફરોને પૂરું પાડવામાં આવે છે જેમાં પ્રત્યેક સેટમાં 2 ચાદર, એક ટુવાલ, એક તકિયો અને એક ધાબળો હોય છે. અધિકારીએ વધુમાં જણાવ્યું, “કોચ સહાયકોએ આપેલી માહિતી પ્રમાણે સફરના અંતે મુસાફરો સૌથી વધુ ટુવાલ અને ત્યારબાદ ચાદર ચોરીને લઈ જાય છે. અને એટલે રેલવેએ નિર્ણય લીધો કે એસી કોચમાં સફર કરતા મુસાફરોને સસ્તા, નાના અને એક વાર ઉપયોગ કરીને ફેંકી શકાય તેવા નેપકિન જ આપવામાં આવે.”
ભારતીય રેલના વિવિધ ઝોનમાં થયેલી આ પ્રકારની ચોરીના આંકડા જોઈએ તો…
દક્ષિણ ઝોન 2,04,113 ટુવાલ 29,573 ચાદર 44,868 તકિયાના કવર 3,713 તકિયા 2,745 ધાબળા
દક્ષિણમધ્ય ઝોન 95,700 ટુવાલ 29,747 ચાદર 22,323 તકિયાના કવર 3,352 તકિયા 2,463 ધાબળા
ઉત્તર ઝોન 85,327 ટુવાલ 38,916 ચાદર 25,313 તકિયાના કવર 3,224 તકિયા 2,483 ધાબળા
પૂર્વ ઝોન 1,31,313 ટુવાલ 20,258 ચાદર 9,006 તકિયાના કવર 1,517 તકિયા 1,913 ધાબળા