પુણેમાં જોવા મળ્યા ચોંકાવનારા કેસ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પર આ રોગ કરી રહ્યો છે હુમલો

એક રિપોર્ટ અનુસાર પુણેની દરેક હોસ્પિટલમાં દર મહિને આવા 10 કેસ નોંધાય છે. જેમાં કોરોનાથી સાજા થેયલ લોકોમાં મ્યુકોરમાઇસીસ રોગ હુમલો કરે છે.

પુણેમાં જોવા મળ્યા ચોંકાવનારા કેસ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પર આ રોગ કરી રહ્યો છે હુમલો
File Image
Follow Us:
| Updated on: Apr 22, 2021 | 1:02 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેરે હોબાળો મચાવ્યો છે. કોરોનાથી દેશના સૌથી વધુ પ્રભાવિત શહેર પુણેની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. બુધવારે પૂણેમાં કોરોના વાયરસના 10,000 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે પૂનામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 120,000 ને વટાવી ગઈ છે, તો અત્યાર સુધીમાં 8945 લોકો મૃત્યુ પામ્યા છે. તેમાંથી 35 લોકો બુધવારે જ મૃત્યુ પામ્યા હતા.

પુણેનો શહેરી વિસ્તાર ગ્રામીણ વિસ્તાર કરતા વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યો છે. બુધવારે,પુણેના ગ્રામીણ વિસ્તારમાં 2998 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે શહેરી વિસ્તારોમાં 5538 નવા કેસ મળી આવ્યા હતા.

પુણેમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુની મહત્તમ સંખ્યા 61 થી 70 વર્ષની વય જૂથમાં છે અને તેમાંથી માત્ર 6% લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. પુણેમાં આ વય જૂથમાં 10 લાખથી વધુ લોકોની વસ્તી છે અને માત્ર 64,000 લોકોએ રસીના બંને ડોઝ લીધા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જ્યારે જિલ્લા માહિતી કચેરીના ડેટા પ્રમાણે ઓછામાં ઓછા 640,000 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. પુણેમાં બુધવારે 58,900 લોકોને રસી આપવામાં આવી હતી, જેમાં મોટાભાગના લાભાર્થીઓ પુણે ગ્રામીણ વિસ્તારના છે. પુણેમાં, કોરોનાથી સાજા થતાં લોકોની સંખ્યા વધીને 6,20,000 થઈ ગઈ છે.

પુણેમાં આરોગ્ય વ્યવસ્થા પણ ધરાશાયી થઈ છે. નાની હોસ્પિટલોએ નવા દર્દીઓની ભરતી કરવાનું બંધ કરી દીધું છે અને આ નાની હોસ્પિટલો દર્દીઓના સંબંધીઓને મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી રહી છે, કારણ કે તેમની પાસે હવે જગ્યા નથી. અહીં નાની હોસ્પિટલો કોરોના સામેની લડતમાં ખૂબ મહત્વની છે, પરંતુ ઓક્સિજનના અભાવને કારણે તેઓ કોરોના દર્દીઓને મોટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલોમાં મોકલવા મજબૂર છે.

પુણે હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ડો. સંજય પાટીલે જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં નાની હોસ્પિટલો ઓક્સિજન સાથે મોટી હોસ્પિટલોને સહાય પૂરી પાડતી હતી, પરંતુ હવે આ શક્ય નથી. મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં તેમની પાસે બે વિકલ્પો છે – કાં તો તેમની પાસે પોતાનો ઓક્સિજન પ્લાન્ટ છે અથવા સિલિન્ડર છે. નાની હોસ્પિટલોમાં એવું નથી.

સાજા થયેલા લોકોમાં આ બીમારી થઇ રહી છે

પુનામાં કોરોનાથી સાજા થયેલા ઘણા દર્દીઓમાં મ્યુકોર્મોસિસનો ચેપ લાગ્યો છે. ખરેખર, મ્યુકોરમાઇસીસ એક પ્રકારનો દુર્લભ અને ગંભીર ફંગલ ચેપ છે, જેમાં તે ફંગલ આંખો, નાક, કાન, જડબા અને મગજ પર હુમલો કરી રહ્યો છે અને મૃત્યુની અવધિ વધારે છે. એક રિપોર્ટ અનુસાર પુણેની દરેક હોસ્પિટલમાં દર મહિને આવા 10 કેસ નોંધાય છે. મ્યુકોરમાઇસીસની સારવાર કરતી વખતે મૃત્યુનો અવકાશ ઉંચો હોય છે, પરંતુ સર્જરી એ એક માત્ર વિકલ્પ છે. જો શસ્ત્રક્રિયા કરવામાં આવતી નથી, તો ચેપ મગજમાં ફેલાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: અદભુત ઈતિહાસ: શું તમે જાણો છો આ દેશ વિશે? જે ઓળખાય છે મીની હિન્દુસ્તાન તરીકે?

આ પણ વાંચો: ચિંતાજનક: ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ પછી, હવે ભારતમાં કોરોનાના ત્રિપલ મ્યુટન્ટે વધારી ચિંતા

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">