શરદ પવારે અમિત શાહની કરેલી મુલાકાતથી કોંગ્રેસ અકળાયુ, કહ્યુ દેશને જણાવે શુ વાત થઈ ?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP )ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ ગુપ્ત મુલાકાતના સમાચાર બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે.

શરદ પવારે અમિત શાહની કરેલી મુલાકાતથી કોંગ્રેસ અકળાયુ, કહ્યુ દેશને જણાવે શુ વાત થઈ ?
શરદ પવાર - અમિત શાહ
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 10:37 AM

એનસીપીએ કહ્યુ ભાજપ ફેલાવે છે અફવા, અમિત શાહે કહ્યું બધુ જાહેર ના કરાય

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP )ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ ગુપ્ત મુલાકાતના સમાચાર બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે. એક તરફ એનસીપી આ ગુપ્ત બેઠકના અહેવાલોને નકારી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ આ ગુપ્ત બેઠક સામે સવાલ ઉભા કરી રહી છે. કોંગ્રેસના (CONGRESS) નેતાએ કહ્યુ છે કે, જો કોઈ મોટા નેતા, દેશના ગૃહપ્રધાન સાથે મુલાકાત કરે તો તેમણે દેશને બતાવવું જોઈએ અને આ બાબતે જાણવાનો દેશની જનતાનો અધિકાર છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ( NCP ) સુપ્રિમો શરદ પવારે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ મુલાકાત બબાતે કોંગ્રેસના નેતા સંદિપ દિક્ષીતે ( SANDEEP DIXIT ) પુછ્યુ છે કે, જો કોઈ રાજકીય પક્ષના વરિષ્ઠ નેતા, કેન્દ્ર સરકારના ગૃહપ્રધાનને મળે તો દેશની જનતાનો એ અધિકાર છે કે મુલાકાત કયા મુદ્દે થઈ. મુલાકાતમાં શુ વાતચીત થઈ. કેમ મુલાકાત કરવાની જરૂર પડી. જો કે એનસીપી આ મુલાકાતના સમાચારને જ રદીયો આપી રહ્યુ છે.

એનસીપી (NCP)ના નેતા નવાબ મલિકે ( NAWAB MALIK ) ગુપ્ત મુલાકાત અંગે વહેતા થયેલા સમાચાર બાબતે કહ્યુ કે, ગુજરાતના એક અખબારમાં આ સમાચાર પ્રગટ થયા છે. કે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી. પાછલા બે દિવસથી આ મુદ્દે ટવીટ દ્વારા અફવા ફેલાવાઈ રહી છે. આવી કોઈ મુલાકાત બન્ને નેતાઓ વચ્ચે થઈ નથી. ગુપ્ત મુલાકાત અંગેના સમાચાર ઉપર પૂર્ણ વિરામ મુકવા અંગે નવાબ મલિકે કહ્યું કે, ભાજપ આ મુદ્દે અફવા ફેલાવી રહ્યુ છે. શાહ પવાર વચ્ચે કોઈ મુલાકાત નથી થઈ. શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ જયપુરથી સીધા મુંબઈ આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એનસીપીના બન્ને કદાવર નેતાઓ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ શુક્રવારે સાંજે અમદાવાદ પહોચ્યા હતા. ત્યાર બાદ બન્ને નેતાઓ ગાંધીનગર ગયા હતા. જ્યા એવુ કહેવાઈ રહ્યુ છે કે, ગાંધીનગરમાં પવાર અને પટેલ ગુપ્ત મુલાકાત કરી હતી. અમિત શાહ સાથે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે કરેલી મુલાકાત અંગેના સમાચારને ગતી ત્યારે મળી જ્યારે પત્રકારોએ આ ગુપ્ત બેઠક અંગે પુછતા અમિત શાહ એવુ કહ્યું કે, બધુ જાહેર ના કરાય. અમિત શાહના આ જવાબ બાદ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">