Sharad Pawar in Hospital: પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શરદ પવારને હૉસ્પિટલમાં ખસેડાયા, 31 માર્ચે થશે સર્જરી
Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી.
Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. એનસીપી નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને શરદ પવારની તબિયત ખરાબ થવાની જાણકારી આપી છે. શરદ પવારને 31 માર્ચે ફરી એડમિટ કરવામાં આવશે અને એક સર્જરી પણ કરવામાં આવશે.
નવાબ મલિકે ટ્વીટ કર્યુ કે એનસીપી ચીફ શરદ પવારની રવિવારે સાંજે તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને ચેક-અપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હેલ્થ ચેક-અપ બાદ ખબર પડી કે તેમને ગાલ બ્લેડરમાં કંઈક તકલીફ છે. તેઓ પહેલેથી જ બ્લડ થીનર દવાઓ લઈ રહ્યા છે, જો કે આ સામે આવતા તેમણે બંધ કરી દીધું છે. આગામી 31 માર્ચના દિવસે તેમની એન્ડોસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. શરદ પવારનો સાર્વજનિક કાર્યક્રમ આગામી સૂચના સુધી સ્થગિત છે. આપને જણાવી દઈએ કે હાર્ટની બિમારીવાળા લોકોને જિંદગીભર બ્લડ થીનર દવાઓનો ઉપયોગ કરવો પડે છે.
He is on Blood Thinning Medication which is now being stopped due to this issue.He will be admitted in hospital on the 31st of March 2021 and an Endoscopy and Surgery will be conducted.Hence all his programmes stand cancelled until further notice.@PTI_News @ANI
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) March 29, 2021
કેન્સરની જંગ જીત્યા છે
મહત્વપૂર્ણ છે કે એગ્રીકલ્ચર મિનિસ્ટર શરદ પવારે કેન્સર વિરુદ્ધ જંગ જીતી છે. વર્ષ 2004 લોકસભા ચૂંટણી દરમ્યાન તેમને કેન્સર હોવાની જાણ થઈ હતી. તેઓ ઈલાજ માટે અમેરિકા ગયા હતા. જો કે ભારતના જ કેટલાક ડૉક્ટરો પાસેથી ઈલાજ કરાવવાની સલાહ આપીને તેમને પાછા મોકલી દીધા હતા. કેન્દ્રીય મંત્રી રહ્યા તે દરમ્યાન 36 વાર રેડિએશન ટ્રીટમેન્ટ લીધી હતી.
જાણકારી પ્રમાણે સવારે 9થી2 વાગ્યા સુધી શરદ મંત્રાલયમાં રહેતા હતા અને 2.30 વાગ્યે એપોલો હોસ્પિટલમાં કીમોથેરેપી લેતા હતા. એક સમયે ડૉક્ટરે હાર માની લીધી હતી અને કહ્યું હતુ કે તેમની પાસે માત્ર 6 મહીનાનો સમય વધ્યો છે. શરદ પવાર લોકોને તમાકુ ન ખાવાની સલાહ પણ આપે છે કારણ કે તેનાથી સૌથી વધારે કેન્સર થવાની આશંકા છે.
આ પણ વાંચો: West Bengal Assembly Election 2021: નંદીગ્રામ જીતવા મમતા બેનર્જીનો હોળીના દિવસે વ્હીલચેર પર રોડ શો