Shaheen Bagh: શાહીનબાગમાં બુઝડોઝરના એક્શન પર સુપ્રીમ કોર્ટ નારાજ, CPIએ પરત લીધી અરજી
Shaheen Bagh demolition: સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે સીપીઆઈ પાર્ટીએ શા માટે અરજી દાખલ કરી છે. કોઈ અસરગ્રસ્ત પક્ષ આવે તો સમજી શકાય. આના જવાબમાં એડવોકેટ સુરેન્દ્ર નાથે કહ્યું કે એક જાહેર હિતની અરજી છે, કારણ કે આ મુદ્દો મહત્વપૂર્ણ છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના શાહીન બાગમાં (Shaheen Bagh) અતિક્રમણ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરજદારને સખત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કોઈપણ રાજકીય પક્ષને આ મંચનો બિનજરૂરી ઉપયોગ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. તમે હાઈકોર્ટમાં જાઓ, તે યોગ્ય નથી. આ પછી સીપીઆઈના (CPI) વકીલે કહ્યું કે અમે અરજી પરત ખેંચી લઈએ છીએ. સુપ્રીમ કોર્ટે સીપીઆઈના વકીલને કહ્યું કે તમારી સાર્વજનિક જગ્યા પર અતિક્રમણ કરવું યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે સીપીઆઈ પાર્ટીએ શા માટે અરજી દાખલ કરી છે. કોઈ અસરગ્રસ્ત પક્ષ આવે તો સમજી શકાય. આના જવાબમાં એડવોકેટ સુરેન્દ્ર નાથે કહ્યું કે એક જાહેર હિતની અરજી છે, કારણ કે આ મુદ્દો મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે હાઈકોર્ટમાં જાઓ તો સારું રહેશે. આ રાજકારણ કરવાની જગ્યા નથી. તમે અહીં ખોટા આવ્યા છો, હાઈકોર્ટમાં જાઓ. વકીલે કહ્યું કે હોકર્સનું યુનિયન છે, જેણે અરજી દાખલ કરી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં અસરગ્રસ્ત પક્ષ કોણ છે.
‘તમે બધું કાયદા મુજબ કેમ નથી કરાવતા’
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં હોકર્સ યુનિયનનું શું કામ છે, અમને શું ખબર કે શું તૂટી ગયું. અમે સાંભળીશું નહીં, તમે યોગ્ય અધિકારી પાસે જાઓ. અહીં સુપ્રીમ કોર્ટે એસજી તુષાર મહેતાને કહ્યું કે તમે કાયદા મુજબ બધું કેમ નથી કરાવતા. એસજીએ કહ્યું કે કોર્ટને ખોટી માહિતી આપવામાં આવી રહી છે, જે પણ થયું તે કાયદા હેઠળ થયું છે. સોમવારે સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો અને એ પણ પૂછ્યું કે આ કેસમાં પીડિતોને બદલે રાજકીય પક્ષોએ કોર્ટનો સંપર્ક કેમ કર્યો છે.
‘અમે કોઈપણ રાજકીય પક્ષની અરજીમાં દખલ નહીં કરીએ’
સુપ્રીમ કોર્ટે સીપીઈના વકીલને કહ્યું કે તમે સાર્વજનિક સ્થળ પર અતિક્રમણ કરશો. આ યોગ્ય નથી, અરજદારે કહ્યું કે જો તેઓ માત્ર ટેબલ અને ખુરશી હટાવી રહ્યા છે તો બુલડોઝરની શું જરૂર છે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન થશે તો અમે દખલગીરી કરીશું, કોઈ રાજકીય પક્ષની અરજી પર અમે દખલગીરી નહીં કરીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને એ સમજાતું નથી કે અરજદારો હાઈકોર્ટમાં કેમ ન ગયા.