Air India સહિત અનેક એરલાઇન્સ કંપનીના સર્વર પર સાયબર એટેક, યાત્રીઓના પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા લીક
Air India સહિત વૈશ્વિક એરલાઇન્સ કંપનીના સર્વર પરના મોટા સાયબર એટેકમાં 45 લાખ યુઝર્સના ડેટા લીક થયા છે. પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણા મહત્વપૂર્ણ ડેટા લીક થવાની ભીતિ છે. આ સાયબર એટેક જે એરલાઇન્સ કંપનીઓ પર થયો છે તેમાં મલેશિયા એરલાઇન્સ, ફિનએર, સિંગાપુર એરલાઇન્સ, લુફથાંસા અને કેથે પેસિફિક પણ સામેલ છે.
Air India સહિત વૈશ્વિક એરલાઇન્સ કંપનીના સર્વર પરના મોટા સાયબર એટેકમાં 45 લાખ યુઝર્સના ડેટા લીક થયા છે. પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણા મહત્વપૂર્ણ ડેટા લીક થવાની ભીતિ છે. આ સાયબર એટેક જે એરલાઇન્સ કંપનીઓ પર થયો છે તેમાં મલેશિયા એરલાઇન્સ, ફિનએર, સિંગાપુર એરલાઇન્સ, લુફથાંસા અને કેથે પેસિફિક પણ સામેલ છે.
Air India એ તેના પ્રભાવિત ગ્રાહકોને મોકલેલા સંદેશમાં કહ્યું છે કે તેના SITA PSS સર્વર પર સાયબર એટેક થયો છે, જેમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી સંગ્રહિત અને પ્રક્રિયા કરવામાં આવે છે. સાયબર એટેક 26 ઓગસ્ટ 2011 થી 20 ફેબ્રુઆરી 2021 સુધીના ડેટા પર કરવામાં આવ્યો છે.
સાયબર એટેકમાં ગ્રાહકોનાં નામ, જન્મ તારીખ, ફોન નંબર, પાસપોર્ટની વિગતો, ટિકિટની માહિતી, નિયમિત મુસાફરી અને ક્રેડિટ કાર્ડની વિગતો બહાર આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે ક્રેડિટ કાર્ડના સીવીવી અને સીવીસી નંબરો આ સર્વરમાં સંગ્રહિત નથી થતા.
એર ઇન્ડિયાએ મુસાફરોને મોકલેલા ઇમેલમાં લખ્યું છે કે, ‘અમને આ સંદર્ભે પ્રથમ માહિતી ડેટા પ્રોસેસર દ્વારા 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ મળી હતી. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે 25 માર્ચ, 2021 અને 5 એપ્રિલના રોજ અમારા ડેટા પ્રોસેસર્સ દ્વારા ફક્ત અસરગ્રસ્ત ડેટા વિષયોની ઓળખ કરવામાં આવી હતી. અમે તમને ચોક્કસ તથ્યોથી માહિતગાર છીએ.
એર ઇન્ડિયાએ પાસવર્ડ બદલવાની અપીલ કરી હતી
19 માર્ચે એર ઈન્ડિયા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે ડેટા લીકનો ઉલ્લેખ કર્યો હતો . એમાં એવું કહેવામાં આવ્યું હતું કે પેસેન્જર સર્વિસ સિસ્ટમ શંકાસ્પદ સાયબર એટેકનો ભોગ બની છે. રાષ્ટ્રીય એજન્સીએ એમ પણ કહ્યું હતું કે પીએસએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ અનધિકૃત પ્રવૃત્તિની નોંધણી કરવામાં આવી નથી. એરલાઇને તેના મુસાફરોને તેમના વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે દરેક શંકાસ્પદ સ્થળે પાસવર્ડ બદલવાની વિનંતી પણ કરી હતી.