સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડના બૂસ્ટર ડોઝની કિંમત નક્કી કરી, રવિવારથી ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં આટલા રૂપિયામાં ઉપલબ્ધ થશે રસી

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, તે તમામ લોકો કે જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને જેમણે બીજો ડોઝ લેવાનો નવ મહિનાનો સમય પૂરો કર્યો છે તેઓ બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર હશે. આ રવિવારથી તમામ ખાનગી રસીકરણ કેન્દ્રો પર પણ આ સુવિધા ઉપલબ્ધ થશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડના બૂસ્ટર ડોઝની કિંમત નક્કી કરી, રવિવારથી ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં આટલા રૂપિયામાં ઉપલબ્ધ થશે રસી
Vaccination - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:24 PM

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ઘટતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે બે દિવસ પછી શુક્રવારથી ખાનગી રસીકરણ કેન્દ્રોમાં તમામ પુખ્ત વયના લોકોને રસીના બૂસ્ટર ડોઝ (Precaution doses) ની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. વેક્સીન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Precaution doses) નું કહેવું છે કે કોવિશિલ્ડ (Covishield) ના બૂસ્ટર ડોઝ (booster dose) ની કિંમત 600 રૂપિયા વત્તા ટેક્સ હશે. અગાઉ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે ખાનગી હોસ્પિટલોમાં 10 એપ્રિલ (રવિવાર) થી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પાત્ર લોકોને COVID-19 સાવચેતીના ડોઝ ઉપલબ્ધ થશે.

તમામ ખાનગી રસીકરણ કેન્દ્રો પર સુવિધા ઉપલબ્ધ થશેઃ મંત્રાલય

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, તે તમામ લોકો કે જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને જેમણે બીજો ડોઝ લેવાનો નવ મહિનાનો સમય પૂરો કર્યો છે તેઓ સાવચેતીનો ડોઝ લેવા માટે પાત્ર હશે. આ રવિવારથી તમામ ખાનગી રસીકરણ કેન્દ્રો પર પણ આ સુવિધા ઉપલબ્ધ થશે.

બૂસ્ટર ડોઝ મુસાફરી માટે ઉપયોગી થશેઃ પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે સરકારના આ નિર્ણયને મહત્વપૂર્ણ અને સમયસરનો નિર્ણય ગણાવ્યો હતો. અદાર પૂનાવાલા કહે છે કે જેઓ વિદેશ પ્રવાસ કરવા માંગે છે તેઓને ત્રીજા ડોઝ વિના આમ કરવું મુશ્કેલ છે કારણ કે ઘણા દેશોએ બૂસ્ટર ડોઝ ન લેતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્વિટર પર વપરાશકર્તાના પ્રશ્નના જવાબમાં, અદાર પૂનાવાલાએ કહ્યું, હું તમારી સાથે સંમત છું અને અસુવિધા માટે સહાનુભૂતિ પણ વ્યક્ત કરું છું, હવે બૂસ્ટર ડોઝને વિકલ્પ તરીકે જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ. ભારત સરકારે બે ડોઝ આપીને આપણા દેશની સુરક્ષાનું મોટું કામ કર્યું છે, પરંતુ ભવિષ્યમાં સુરક્ષા અને મુસાફરી પ્રતિબંધોની દૃષ્ટિએ બૂસ્ટર ડોઝ ઉપયોગી સાબિત થશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ખાનગી રસીકરણ કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીની સાવચેતીભરી માત્રા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા તમામ રસીકરણ કેન્દ્રોમાં ઉપલબ્ધ હશે. સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 96% લોકોને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે લગભગ 83 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મનીષ સિસોદિયાનું એલાન- સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ, ભાજપે 27 વર્ષમાં કંઈક તો કર્યું જ હશે

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 20 કેસ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">