એગ્રીકલ્ચરની ડિગ્રી નહીં હોય તો લાઈસન્સ થશે રદ! ખાતર, જંતુનાશક દવા અને બીજ વિક્રેતાઓને કરવો પડશે આ કોર્ષ
જેમ મેડિકલ સ્ટોર ખોલવા ફાર્માસિસ્ટ ડિપ્લોમા ફરજિયાત છે તે મૂજબ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા હવે જંતુનાશક દવા, ખાતર અને બીજ વેચનારાઓ માટે DAESI (કૃષિ વિસ્તરણ સેવા માટેનો ડિપ્લોમા) કોર્ષ બનાવ્યો છે. એક વર્ષનો ડિપ્લોમા અથવા બી.એસ.સી. એગ્રિકલ્ચર ડિગ્રી વગર ખાતર અને બીજનું વેચાણ કરનારાના લાઈસન્સ રદ કરવામાં આવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]
જેમ મેડિકલ સ્ટોર ખોલવા ફાર્માસિસ્ટ ડિપ્લોમા ફરજિયાત છે તે મૂજબ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા હવે જંતુનાશક દવા, ખાતર અને બીજ વેચનારાઓ માટે DAESI (કૃષિ વિસ્તરણ સેવા માટેનો ડિપ્લોમા) કોર્ષ બનાવ્યો છે. એક વર્ષનો ડિપ્લોમા અથવા બી.એસ.સી. એગ્રિકલ્ચર ડિગ્રી વગર ખાતર અને બીજનું વેચાણ કરનારાના લાઈસન્સ રદ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ક્ષેત્રમાં ઘણા લોકો છે જે હજી સ્નાતક નથી તો આ અંગે કડક નિર્ણય લઈને વિભાગે ડિપ્લોમા કે ડિગ્રી વગરના વિક્રેતાઓના લાઈસન્સ રીન્યૂ ન કરવા સાથે દુકાન બંધ કરાવવાનો આદેશ આપ્યો છે. દુકાન બંધ થવાના ડરથી ઘણા વિક્રેતાઓએ DAESI કોર્ષ માટે અરજી કરી અને અભ્યાસ શરૂ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વિક્રેતાને માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કૃષિ ક્ષેત્રમાં ડી.એ.એસ.આઇ. અથવા ગ્રેજ્યુએટ (કેમિસ્ટ્રી) અથવા બી.એસ.સી.નો એક વર્ષનો ડિપ્લોમા હોવો ફરજિયાત છે. ખાતર, બીજ અને દવા ડીલરો કે જેમની પાસે ડિગ્રી અથવા ડિપ્લોમા વગર જ લાઇસન્સ છે, તેઓ 31 ડિસેમ્બર 2020 પહેલા અરજી કરી DAESI કોર્ષ કરી લે નહી તો તેનું લાઈસન્સ રદ કરવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati”]