જોધપુરમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ, બે જૂથ વચ્ચે અથડામણ બાદ પોલીસ કાફલો ખડકાયો

જોધપુર(Jodhpur)ના સુરસાગરના રોયલ્ટી બ્લોક પાસે અથડામણ અને પથ્થરમારાની ઘટના સામે બની હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જોધપુરમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ, બે જૂથ વચ્ચે અથડામણ બાદ પોલીસ કાફલો ખડકાયો
Tension has once again become a situation in Jodhpur.Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 6:43 AM

રાજસ્થાનના (Rajasthan)જોધપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ ઉભી થઈ હતી અને બંને જૂથો વચ્ચે પથ્થરમારાની (Stone pelting )ઘટના બની હતી. જોધપુરના (Jodhpur ) સુરસાગર વિસ્તારમાં બે કોમના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ હતી કે બે યુવકો વચ્ચે મારપીટ થઈ હતી. આ ઘટના સૂરસાગરનાના સ્થલે રૂપવતો બાસની છે. બે યુવકો વચ્ચે મારપીટ થયા બાદ ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી. મીડિયાના અહેવાલ પ્રમાણે સૂરસાગરના રોયલ્ટી નાકા પાસે અથડામણ અને પથ્થરબાજીની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતા જ પોલીસ તુરંત તે સ્થળે પહોચી ગઈ હતી. હાલમાં ત્યાં મોટીસંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જોધપુરમાં આ રીતેનો વિવાદ પ્રથમવાર થયો નથી. ઇદના તહેવાર વખતે પણ બે સમુદાય વચ્ચે હિંસા ફેલાઈ હતી. ઇદ અને પરશુરામ જંયતિ એક સાથે હતી ત્યારે જાલોરી ગેટ પાસે લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ ઉભો થયો હતો અને આ વિવાદ જોતજોતામાં હિંસામાં પરિણ્મ્યો હતો. પોલીસે તે સમયે 33 કેસ નોંધ્યા હતા અને હિંસામાં 250થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

જોધપુરમાં બાઇક રેલી ઉપર થયો હતો પત્થરમારો

આ વર્ષે રાજસ્થાનમાં હિંસાની ઘટનાઓ વધુ બની છે. જોધપુરથી પહેલા કરૌલી અને અલવરમાં જોરદાર હિંસા અને આગચંપીના કેસ નોંંધાયા હતા. બાઇક રેલી દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. હિંદુ નવવર્ષ નિમિત્તે નીકળેલી બાઇકરેલી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેનાથી એટલી ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ હતી કે તંત્રએ લાંબા સમય સુધી કર્ફ્યૂ લાદવો પડ્યો હતો. સાથે જ ઇન્ટરનેટ સેવા પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. 22 એપ્રિલે અલવરના દિલેમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. આ ઘટના બાદ ગેહલોત સરકારની ઘણી ટીકા થઈ હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફરીથી સળગ્યું જોધપુર શહેર

હવે ફરીથી એકવાર જોધપુરમાં સાંપ્રદાયિક હિંસાના સમાચાર સામે આવ્યા છે. બે યુવકો વચ્ચેની અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં એટલો તણાવ ફેલાઈ ગયો હતો કે પથ્થરમારા અને ફાયરિંગ સુધી વાત વધી ગઈ હતી. પથ્થરમારા અને ફાયરિંગની ઘટનામાં હાલમાં પોલીસ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">