સત્યેન્દ્ર જૈનની માગ, જેલના લીક થયેલા CCTV ફૂટેજ મીડિયામાં ન ચલાવો, કોર્ટે સ્ટે મૂકવાનો કર્યો ઈનકાર

કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ જાહેર કરીને સીસીટીવી ફૂટેજ લીક થવા પર તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે જેલ પ્રશાસનને આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સત્યેન્દ્ર જૈનની માગ, જેલના લીક થયેલા CCTV ફૂટેજ મીડિયામાં ન ચલાવો, કોર્ટે સ્ટે મૂકવાનો કર્યો ઈનકાર
CCTV footage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 6:23 PM

દિલ્હીની એક કોર્ટે સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે માગ કરી હતી કે તેના સીસીટીવી ફૂટેજ મીડિયામાં ન ચલાવવા જોઈએ, તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તિહાર જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે, જેમાં તેઓ મસાજ કરાવતા અને બહારનું ભોજન ખાતા જોઈ શકાય છે. રાઉઝ એવન્યુના સ્પેશિયલ જજ વિકાસ ધૂલે મીડિયામાં આ જ CCTV ફૂટેજ ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની અરજી પર તાત્કાલિક સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે.

જોકે, કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ જાહેર કરીને સીસીટીવી ફૂટેજ લીક થવા પર તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે જેલ પ્રશાસનને આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સત્યેન્દ્ર જૈનના વકીલ રાહુલ મહેરાએ કોર્ટમાં અરજી કરી હતી કે એજન્સી સત્યેન્દ્ર જૈન સામે પક્ષપાતથી કામ કરી રહી છે. હવે આ મામલે 24 નવેમ્બરે વિગતવાર સુનાવણી થશે.

આજે એટલે કે 23 નવેમ્બરે સત્યેન્દ્ર જૈનનો નવો વીડિયો સામે આવ્યો છે. તિહાર સેલનો આ વીડિયો 13 સપ્ટેમ્બરનો છે. આમાં જૈન ભોજન ખાતા જોઈ શકાય છે, જ્યારે સત્યેન્દ્ર જૈન વતી રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે 6 મહિનાથી એક પણ અનાજ ખાધું નથી. જૈન ધર્મ અનુસાર, તેઓ મંદિરમાં જઈને પૂજા કર્યા વિના રાંધેલું ભોજન ખાઈ શકતા નથી. તેઓ માત્ર ફળો અને કાચા શાકભાજી પર નિર્ભર છે, તે પણ તિહાર જેલ પ્રશાસને બંધ કરી દીધું છે. તેના વજનમાં 28 કિલોનો ઘટાડો થયો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સત્યેન્દ્ર જૈનના વકીલનો સવાલ – ફૂટેજ કેવી રીતે લીક થઈ રહ્યા છે?

સત્યેન્દ્ર જૈને જેલમાં ઉપવાસ પ્રમાણે ભોજન માંગવાની અપીલ કરી હતી. CCTV ફૂટેજ સામે આવવાના મામલામાં EDનું કહેવું છે કે તેણે વીડિયો લીક કર્યો નથી. જૈનના વકીલે કહ્યું કે આજે સવારે પણ વીડિયો લીક થયો છે. તિહાર જેલના ડીજીને બોલાવીને પૂછવું જોઈએ કે ફૂટેજ કેવી રીતે લીક થઈ રહ્યા છે? શું બહારથી કોઈ કરી શકે? સિલેક્ટિવ લીક થઈ રહ્યું છે. તે ઓર્ડર વિના અટકશે નહીં.

તેના પર તિહાર જેલ પ્રશાસનના વકીલે કહ્યું કે હું જેલ સુપ્રિટેન્ડેન્ટ વતી હાજર થયો છું. આ વીડિયો 13 સપ્ટેમ્બરનો છે. અમે તપાસ કરીશું કે વીડિયો કેવી રીતે લીક થયો. પરંતુ ત્યાં સુધી એ કહેવું યોગ્ય નથી કે તિહાર જેલ પ્રશાસન વીડિયો લીક કરી રહ્યું છે. ડીજી તિહાર એફિડેવિટ આપીને રિપોર્ટ રજૂ કરશે.

સત્યેન્દ્ર જૈનની માગ- જેલમાં ફળો, કાચા શાકભાજી અને ડ્રાયફ્રુટ્સ મળે

રાહુલ મહેરાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનની છબીને ખરાબ કરવામાં આવી રહી છે. તેઓ કહી રહ્યા છે કે જેલમાં મસાજ પાર્લર ચાલે છે. ખોરાક વિશે વાત કરવામાં આવી રહી છે. અમે કહીએ છીએ કે જે ભોજન પહેલા આપવામાં આવતું હતું તે જ આપવું જોઈએ. જો જેલ પ્રશાસન કહે છે કે તેઓ રોક્યું નથી, તો અમે અમારી અરજી પાછી ખેંચી લઈશું. રાહુલ મેહરાએ કહ્યું કે હું કોઈ નોન-વેજ કે કોઈ રેસ્ટોરન્ટમાંથી ફૂડની માંગણી કરતો નથી, હું માત્ર એટલું કહી રહ્યો છું કે ધાર્મિક ઉપવાસ પ્રમાણે ફળો, કાચા શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સ આપવા જોઈએ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">