મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણઃ NCP નેતા અજીત પવારે કહ્યું કે, શિવસેનાના સંજય રાઉતે મારો સંપર્ક કર્યો છે
મહારાષ્ટ્રમાં ખેંચતાણ ચાલુ છે. શિવસેના નેતા સંજય રાઉત હવે NCPના પ્રમુખ શરદ પવારના ભત્રીજી અને નેતા અજીતનો સંપર્ક કર્યો છે. તો શિવસેનાએ ફરી એક વખત સામનામાં સ્પષ્ટ કરી દીધુ છે કે, જો ભાજપ 50-50નો ફોર્મ્યૂલાની વાત માનશે નહીં તો, અન્ય પાર્ટી સાથે વિકલ્પ સાથે જઈ શકે છે. આ પણ વાંચોઃ WhatsApp જાસૂસી કાંડ પર કોંગ્રેસનો […]
મહારાષ્ટ્રમાં ખેંચતાણ ચાલુ છે. શિવસેના નેતા સંજય રાઉત હવે NCPના પ્રમુખ શરદ પવારના ભત્રીજી અને નેતા અજીતનો સંપર્ક કર્યો છે. તો શિવસેનાએ ફરી એક વખત સામનામાં સ્પષ્ટ કરી દીધુ છે કે, જો ભાજપ 50-50નો ફોર્મ્યૂલાની વાત માનશે નહીં તો, અન્ય પાર્ટી સાથે વિકલ્પ સાથે જઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો અજીત પવારે કહ્યું કે, મને થોડા સમય પહેલા સંજય રાઉતનો સંદેશો મળ્યો છે. હું મિટિંગમાં હતો જેથી જવાબ આપી શક્યો નથી. અને મને નથી ખબર કે તેમણે મેસેજ શા માટે મોકલ્યો છે. પરિણામ બાદ આ પહેલી વખત તેમણે સંદેશો મોકલ્યો છે. હું તેમને કોલ કરીશ અને વાત કરીશ.
અજીતે ગઠબંધન વિશે પણ વાત કરી કે, પાર્ટનરશિપનો કોઈપણ નિર્ણય માત્ર શરદ પવાર દ્વારા લેવાશે. તો શરદ પવાર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મુલાકાત કરી શકે છે.