સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેઓ આઈસોલેટ થઈ ગયા છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Akhilesh Yadav (File Image)
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 11:22 AM

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેઓ આઈસોલેટ થઈ ગયા છે. તેની જાણકારી તેમને જાતે ટ્વીટ કરીને આપી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે ‘હાલમાં મારો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને ઘર પર જ સારવાર શરૂ થઈ ગઈ છે.’

તેમને કહ્યું કે થોડા દિવસ પહેલા મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે, તેમને અપીલ કરૂ છું કે તે ટેસ્ટ કરાવી લે અને થોડા દિવસ સુધી આઈસોલેશનમાં રહેવા પણ વિનંતી છે. તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવને થોડા દિવસથી સામાન્ય તાવ હતો. ત્યારબાદ તેમને ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે.

તેમને સ્વાસ્થ્યકર્મી દ્વારા સેમ્પલ લેવાની તસ્વીર ટ્વીટર પર શેયર કરી હતી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. તેમને ટ્વીટ કરી કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કોરોનાથી જે હાહાકાર મચ્યો છે. તેના માટે ભાજપ સરકારને જવાબ આપવો પડશે કે તેમને કોરોના પર નિયંત્રણ મેળવવાના ખોટા દાવા કેમ કર્યા?

રસીકરણ, ટેસ્ટ, ડોક્ટર, બેડ, એમ્બ્યુલન્સની કમી, ટેસ્ટ રિપોર્ટ આવવામાં વધારે સમય અને દવાઓની કાળાબજારી પર ભાજપ સરકાર ચૂપ કેમ છે? તેમને પૂછ્યૂ કે સ્ટાર પ્રચારક ક્યા છે? ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાનની ઓફિસમાં ઘણા પોઝિટીવ કેસ સામે આવવાના કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સાવચેતીના ભાગરૂપે આઈસોલેટ થયા છે.

આ પણ વાંચો: મહાકુંભમાં જનમેદની વચ્ચે કોરોનાનો પ્રકોપ: 100 થી વધુ ભક્તો અને 20 સાધુ-સંતો કોરોના પોઝિટિવ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">