ભારતની સરકારી કંપની એર ઈન્ડિયા થઈ જશે બંધ? MDએ આપ્યો જવાબ
એર ઈન્ડિાયા કંપની પર દેવું છે તે જગજાહેર છે. એર ઈન્ડિયાના એમડીએ કંપનીની લઈને અફવા પર એક નિવેદન આપ્યું છે. કંપનીની ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અશ્વિની લોહાનીએ કહ્યું કે એર ઈન્ડિયા બંધ થશે તેવી તમામ ખબર આધારવિહીન છે. તેઓએ વધારેમાં ઉમેર્યું કે એર ઈન્ડિયા પહેલાની જેમ ઉડાન ભરશે અને પોતાનો વિસ્તાર પણ કરશે. આથી યાત્રીઓ, […]
એર ઈન્ડિાયા કંપની પર દેવું છે તે જગજાહેર છે. એર ઈન્ડિયાના એમડીએ કંપનીની લઈને અફવા પર એક નિવેદન આપ્યું છે. કંપનીની ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અશ્વિની લોહાનીએ કહ્યું કે એર ઈન્ડિયા બંધ થશે તેવી તમામ ખબર આધારવિહીન છે. તેઓએ વધારેમાં ઉમેર્યું કે એર ઈન્ડિયા પહેલાની જેમ ઉડાન ભરશે અને પોતાનો વિસ્તાર પણ કરશે. આથી યાત્રીઓ, કોર્પોરેટસ અને એજન્ટોએ ચિંતા કરવાની કોઈ જ જરુર નથી. એર ઈન્ડિયા આજે પણ દેશની સૌથી મોટી કંપની છે.
કેટલાંક દિવસ પહેલાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે કંપનીને જલદીથી કોઈ ખરીદનાર ના મળ્યો તો કંપની બંધ થઈ શકે છે. સરકાર પાસેથી કંપની ચાલુ રાખવા માટે જે રકમ માગવામાં આવી રહી છે તે મળી નથી રહી. આમ વરિષ્ઠ અધિકારીએ કંપની બંધ થઈ જાય તેવું નિવેદન આપ્યું હતું જે બાદ એમડીએ આવું કશું થશે નહીં એમ કહીને આ વાતને અફવા ગણાવી છે.
કેટલું છે કંપની પર દેવું?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
એર ઈન્ડિયા ભારતની સરકારી એરલાઈન્સ કંપની છે. એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે. હાલ કંપની પર 60 હજાર કરોડ રુપિયાનું દેવુ છે. વર્ષ 2018-19માં કંપનીએ 8400 કરોડ રુપિયાની ખોટ કરી છે. એર ઈન્ડિયાને વિદેશી મુદ્રાના મૂલ્યમાં ઘટાડો અને વધારે ઓપરેટીંગ કોસ્ટના લીધે આ સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ સિવાય સરકારી વિભાગો પાસેથી પણ નાણા મળી નથી રહ્યાં અને તેના અધિકારીઓ ભારત સરકારની એરલાઈન્સ હોવાથી સફર કરી રહ્યાં છે. જો કે ભારત સરકાર એર ઈન્ડિયાને વેચવાની તૈયારીમાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 showdesc=1 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]