રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે જરૂરી RT-PCR ટેસ્ટ પર ‘હંગામો’, આ બંને નેતાઓએ ટેસ્ટ કરાવાની ના પાડી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ બે દિવસ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (Ram Nath Kovind) મળવા જવાનું છે. તેમણે અત્યારથી હંગામો શરૂ કરી દીધો છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate) પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ બે દિવસ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા જવાનું છે. આ બાબતથી પરિચિત લોકોએ શનિવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં RT-CPR ટેસ્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ઓછામાં ઓછા બે ટોચના નેતાઓ સોમવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને (Ram Nath Kovind) મળવાનું ચૂકી શકે છે. આ ઘટનાક્રમથી વાકેફ એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ભૂતપૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નવનિયુક્ત સંચાર વિભાગના પ્રમુખ જયરામ રમેશે તેમના સાથીઓને જાણ કરી કે તેઓ રાષ્ટ્રપતિને મળવા માટે કોરોના ટેસ્ટ કરાવવા તૈયાર નથી.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને બોલાવવાનો વિરોધ કરી રહેલા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે દિલ્હી પોલીસના કથિત અત્યાચારની ફરિયાદ કરવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળવા જવાનું છે. પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિનિધિમંડળ સોમવારે કોવિંદને મળવા જશે અને દિલ્હી પોલીસ દ્વારા સાંસદો સાથે થયેલા દુરવ્યવહાર અને તેમના પર હુમલાની બાબત ધ્યાનમાં લાવશે.
બધા સભ્યોએ RT-PCR ટેસ્ટ કરાવવો આવશ્યક
શુક્રવારે મોડી સાંજે રાષ્ટ્રપતિ ભવને પાર્ટીને સૂચના આપી કે પ્રતિનિધિમંડળના દરેક સભ્યએ કોવિડ-19 પ્રોટોકોલ મુજબ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, રાષ્ટ્રપતિને મળનારા તમામ લોકોએ રાષ્ટ્રપતિ ભવનના પ્રોટોકોલ મુજબ RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. આ એક પ્રમુખ પ્રોટોકોલ છે જેને દરેક વ્યક્તિએ પાલન કરવું જરૂરી છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ મળ્યા કોંગ્રેસના પ્રમુખ નેતાઓ
માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓએ એ તરફ ધ્યાન ઈશારો કર્યો છે કે ગુરુવારે જ્યારે પાર્ટીનું પ્રતિનિધિમંડળ આ જ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળ્યું હતું, ત્યારે તેઓને આવા ટેસ્ટ કરાવવાની જરૂર પડી ન હતી. કોંગ્રેસના બે અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, સંસદમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને અન્ય વરિષ્ઠ નેતાઓ પ્રતિનિધિમંડળનો ભાગ હશે. ગુરુવારે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળ્યું, જ્યારે સાંસદ એસ જોતિમણીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને દિલ્હી પોલીસના અત્યાચારી વર્તન સામે પત્ર લખ્યો, એવો આરોપ લગાવ્યો કે સાંસદોને હેરાન કરવામાં આવ્યા હતા.
ખડગે અને અન્ય 7 સાંસદોના હસ્તાક્ષરિતવાળા પત્રમાં નાયડુને કોંગ્રેસે કહ્યું, અમે 13, 14 અને 15 જૂનના રોજ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદો સાથે મળીને દિલ્હી પોલીસ દ્વારા આચરવામાં આવેલી અત્યાચારી પદ્ધતિ સામે અમારો શક્ય તેટલો મજબૂત વિરોધ દર્શાવવા લખી રહ્યા છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ લગાયો છે કે દિલ્હી પોલીસની કાર્યવાહી સંપૂર્ણપણે તમામ નિયમોનું ઉલ્લંઘન છે.