દેશમાં કોઈ સુખી નથી,બધા આંદોલન કરી રહ્યા છે: મોહન ભાગવત
દેશમાં સૌ કોઈ દુખી છે, કોઈપણ સુખી નથી આ મહત્વપૂર્ણ નિવેદન RSSના વડા મોહન ભાગવતનું છે. તેમણે જણાવ્યું કે, દેશ પર ત્રીજા વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. વિજ્ઞાનને કારણે લોકોમાં જાગૃતિ આવી છે. પરંતુ દેશમાં કોઈપણ સુખી નથી. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે દેશમાં ઉગ્રવાદીઓનો આતંક પણ વધ્યો છે. કટ્ટરવાદ બંધ નથી થયો અને […]
દેશમાં સૌ કોઈ દુખી છે, કોઈપણ સુખી નથી આ મહત્વપૂર્ણ નિવેદન RSSના વડા મોહન ભાગવતનું છે. તેમણે જણાવ્યું કે, દેશ પર ત્રીજા વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. વિજ્ઞાનને કારણે લોકોમાં જાગૃતિ આવી છે. પરંતુ દેશમાં કોઈપણ સુખી નથી. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે દેશમાં ઉગ્રવાદીઓનો આતંક પણ વધ્યો છે. કટ્ટરવાદ બંધ નથી થયો અને ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો તેની સામે નારાજગી પણ વધી છે. એક કાર્યક્રમમાં મોહન ભાગવતે આ નિવેદન આપ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આંદોલનને લઈને મોહન ભાગવતે કહ્યું કે, બધા જ લોકો આંદોલન કરી રહ્યા છે. મિલ માલિક હોય કે મજૂર હોય કે પછી કે વિદ્યાર્થીઓ હોય. બધા આંદોલનના રસ્તે જઈ રહ્યા છે. સરકાર પણ આંદોલન કરે છે. ભાગવતે આવું સ્ફોટક નિવેદન આપી કોના તરફ ઈશારો કર્યો છે તે સૌથી મોટો સવાલ છે. શું ભાગવતે આડકતરી રીતે સરકાર પર નિશાન સાધ્યું છે કે પછી એક બાદ એક ફાટી નિકળેલા આંદોલનથી ભાગવત નારાજ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાસણીમાં, મહાકાલ એક્સપ્રેસ સહિત 30 પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે