ઝારખંડના દેવઘરમાં રોપ વે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, 46 લોકોને બચાવાયા, જુઓ દિલધડક ઓપરેશનના વીડિયો
Jahrkhand Deoghar Ropeway Accident: દેવઘરના ત્રિકુટ પર્વત રોપવેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે છેલ્લા 46 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું.
ઝારખંડના (Jharkhand) દેવઘર (Deoghar) જિલ્લામાં ત્રિકુટ પર્વત પરના રોપવે અકસ્માતમાં (Ropeway accident) ફસાયેલા લોકોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલ બચાવ કામગીરી મંગળવારે બપોરે 12.30 વાગ્યે પૂર્ણ થઈ હતી. ફસાયેલા 48 લોકોમાંથી 46 લોકોને બચાવી લેવાયા છે. મંગળવારે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) દરમિયાન એક મહિલા નીચે પડી હતી. દોરડું તૂટતાં અકસ્માત સર્જાયો હતો. મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ પહેલા બચાવ દરમિયાન એક વ્યક્તિ હેલિકોપ્ટરમાંથી (Helicopter) નીચે પડી ગયો હતો. આમ આ ઘટનામાં કુલ બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. આ પહેલા દેવઘરના ડેપ્યુટી કમિશનરે માહિતી આપી હતી કે એરફોર્સ અને એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે. દુર્ઘટના બાદ એનડીઆરએફ, આઈટીબીપી, એરફોર્સ અને બીએસએફના જવાનોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.
ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે દેવઘર ત્રિકુટ રોપવે અકસ્માતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વહીવટીતંત્ર, સેના અને NDRFની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહી છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ રોપ-વે પર ફસાયેલા લોકોને નીચે લાવવા માટે મદદ માટે વિનંતી કરી છે. રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો જુઓ-
#WATCH | IAF recommenced rescue operations at Deoghar ropeway in Jharkhand, early this morning.
(Video source: IAF Twitter handle) pic.twitter.com/XstP7ESWAE
— ANI (@ANI) April 12, 2022
રોપવે સાઇટ પર બચાવ કામગીરીનો વીડિયો
#WATCH | Rescue operation underway at ropeway site near Trikut in Deoghar, Jharkhand.
30 people have been rescued so far, 18 are still remaining. NDRF, Air Force & Army are performing rescue operations. Probe will be done, Jharkhand Tourism Minister Hafizul Hasan earlier said pic.twitter.com/qlux5z7Ln1
— ANI (@ANI) April 11, 2022
દેવઘર નજીક ત્રિકુટ પર્વત પર બચાવ કામગીરી
Operations are underway by #IAF to rescue stranded tourists and passengers on #Jharkhand ropeway at Trikut hill near Deoghar.
Nineteen tourists have been rescued till now by #IAF Mi17 V5 & Cheetah helicopters with Garud Commandos. #HarKaamDeshKeNaam pic.twitter.com/gYrH1zIkTl
— Indian Air Force (@IAF_MCC) April 11, 2022
કેવી રીતે થયો અકસ્માત?
દેવઘરના ત્રિકૂટ પર્વત રોપવે પર રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. સાંજે 4:30 વાગ્યાની આસપાસ પર્વતની ટોચ પર સ્થિત રોપ-વેના UTP સ્ટેશનનું રોલર અચાનક ફાટી ગયું હતું. આ પછી રોપ-વેની 23 ટ્રોલી પળવારમાં સાત ફૂટ નીચે લટકી ગઈ હતી. ત્યાર બાદ, ઉપરની એક ટ્રોલી 40 ફૂટ નીચે ખાડામાં પડી હતી, જેમાં સ્થાનિક લોકો અને રોપ-વેના કામદારોએ ફસાયેલા પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત દરમિયાન નીચેની બે ટ્રોલી પથ્થર સાથે જોરદાર ટકરાઈ હતી. આ બંને ટ્રોલીમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ
National Herald Case: પૂછપરછ માટે ED ઓફિસે પહોચ્યા કોંગ્રેસ નેતા પવન બંસલ, ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેની કરાઈ હતી પૂછપરછ
આ પણ વાંચોઃ