VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા
મુંબઈમાં જર્જરિત ઈમારત ફરી એકવાર મોતનું તેડું લઈને આવી. ડોંગરી વિસ્તારમાં અબ્દુલ હમીન શાહ દરગાહ પાછળ આવેલી કેસરબાઈ ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતનો અડઘો હિસ્સો ધરાશાયી થઈ ગયો જેમાં 7 લોકોના મોત નીપજ્યા. જ્યારે એક બાળક સહિત 5 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ અનેક લોકો ઈમારતના કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં […]
મુંબઈમાં જર્જરિત ઈમારત ફરી એકવાર મોતનું તેડું લઈને આવી. ડોંગરી વિસ્તારમાં અબ્દુલ હમીન શાહ દરગાહ પાછળ આવેલી કેસરબાઈ ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતનો અડઘો હિસ્સો ધરાશાયી થઈ ગયો જેમાં 7 લોકોના મોત નીપજ્યા. જ્યારે એક બાળક સહિત 5 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ અનેક લોકો ઈમારતના કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 11.48 વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે આ બિલ્ડિંગ અંદાજે 80 વર્ષ જૂની હતી. આ બિલ્ડિંગમાં 15 પરિવાર રહે છે અને જ્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયું ત્યારે તેમાં અંદાજે 40-50 લોકો હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક પોલીસની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જેસીબી જેવા મશીન પણ આ ગલીમાં જઈ શકતા નથી. તેથી લોકોએ માનવસાંકળ બનાવીને રાહત કામગીરી શરૂ કરી છે.
[yop_poll id=”1″]