રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કેન્દ્રની મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત
એક તરફ મંદીની હવા ફૂંકાઈ રહી છે ત્યારે RBI દ્વારા કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત થઈ છે. રિઝર્વ બેંકે સેન્ટ્રલ બોર્ડના વિમલ જાલાન કમિટીના સૂચનો મંજૂર કર્યા છે. સોમવારે થયેલી બેઠકમાં RBI તરફથી આ એલાન થયું કે, તેમણે સરકારને 1,76,051 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ […]
એક તરફ મંદીની હવા ફૂંકાઈ રહી છે ત્યારે RBI દ્વારા કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત થઈ છે. રિઝર્વ બેંકે સેન્ટ્રલ બોર્ડના વિમલ જાલાન કમિટીના સૂચનો મંજૂર કર્યા છે. સોમવારે થયેલી બેઠકમાં RBI તરફથી આ એલાન થયું કે, તેમણે સરકારને 1,76,051 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ રકમ 2018-19 માટે હશે. આ સિવાય સંશોધિત આર્થિક મૂળી સ્ટ્રકચર અનુસાર આપવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ કમિટીનું કામ સલાહ આપવાનું હતું. RBI કેટલી મૂળી પોતાની પાસે રાખવી જોઈએ અને કેટલી સરકારને આપવી જોઈએ. RBIની પાસે 2017-18ના અંત સુધીમાં 9.6 લાખ કરોડ રૂપિયાની મૂળી હતી. તો સરપ્લસ રકમના મુદ્દે મોદી સરકાર અને RBI વચ્ચે તનાતની સર્જાઈ હતી. સરકારે કહ્યું કે, રિઝર્વ બેંક અન્ય બેંકની તુલનાએ વધારે રકમ પોતાની પાસે રાખે છે. જેમાંથી તેમણે સરકારને આ રકમ આપવી જોઈએ.
આ વિવાદ વચ્ચે ગર્વનર ઉર્જીત પટેલે અંગત કારણો દર્શાવી રાજીનામું આપી દીધુ હતું. જે બાદ શશિકાંત દાસને ગર્વનરની જવાબદારી આપવામાં આવી હતી.
[yop_poll id=”1″]