Twitter વિવાદ પર રવિશંકર પ્રસાદ બોલ્યા, બેન નથી કરવા માંગતા કોઇ પ્લેટફોર્મ, પણ કાયદા તો માનવા પડશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)સ્પષ્ટતા કરી હતી કે સરકાર સંપૂર્ણ તટસ્થ છે. તેમણે કહ્યું અમે કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. પરંતુ તેણે કાયદાનું પાલન કરવું પડશે.

Twitter વિવાદ પર રવિશંકર પ્રસાદ બોલ્યા, બેન નથી કરવા માંગતા કોઇ પ્લેટફોર્મ, પણ કાયદા તો માનવા પડશે
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 7:39 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)સ્પષ્ટતા કરી હતી કે સરકાર સંપૂર્ણ તટસ્થ છે. તેમણે કહ્યું કે, જો કોઈ દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત અડધી સરકાર Twitter પર હોય તો સ્પષ્ટ થાય છે કે આપણે તટસ્થ છીએ. પરંતુ નિયમ એ નિયમ છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)એ કહ્યું અમે કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. પરંતુ તેણે કાયદાનું પાલન કરવું પડશે.

તેમને પૂછવામાં આવશે કે આ  દુ:સાહસ કોણે કર્યું

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રવિશંકરે કહ્યું, “અમે નથી ઇચ્છતા કે તમામ સંદેશા ડિસક્રીપ્ટ કરવામાં આવે. આ મારા શબ્દો છે કે તમામ સામાન્ય વ્હોટ્સએપ યુઝર્સ માટે ચાલુ રાખવું જોઈએ. પરંતુ જો કોઈ પણ સામગ્રી વાયરલ થાય છે અને તેના કારણે મોબ લિંચિંગ, હુલ્લડો, હત્યા, કપડાં વિનાની મહિલાઓ અને બાળકોનું યૌન શોષણ તરફ દોરી જાય છે. આ મર્યાદિત કેટેગરીઝ અંગે તેમને પૂછવામાં આવશે કે આ દુ:સાહસ કોણે કર્યું છે. ”

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, જો એવો કોઈ સંદેશ આવે છે જે સરહદ પારથી આવ્યો છે, પરંતુ ભારતમાં કોણે તેની શરૂઆત કરી છે, તો આ બધી બાબતો પૂછવામાં આવશે. જે લોકોના હિતમાં છે.

લાલ કિલ્લા પર આતંકીઓના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે વોશિંગ્ટનની કેપિટલ હિલ (યુએસ સંસદ) પર વિવાદ થયો હતો. ત્યારે તમે રાષ્ટ્રપતિ સહિત ઘણા લોકોના ટ્વિટર એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા. ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લા પર આતંકીઓના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તલવાર બતાવવામાં આવી હતી. પોલીસ જવાન ઘાયલ થયા હતા અને ધક્કા મારીને ખાડામાં ધકેલી દીધા હતા. શું તે સમયે આ સ્વતંત્રતાની અભિવ્યક્તિ હતી.

લાલ કિલ્લો એ ભારતનું ગૌરવ

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, જો કેપિટલ હિલ એ અમેરિકાનું ગૌરવ છે, તો લાલ કિલ્લો એ ભારતનું ગૌરવ છે, જ્યાં વડા પ્રધાન ધ્વજ ફરકાવે છે. તમે લદાખને ચીનના ભાગ રૂપે બતાવો છો. તે પૂછીને તેને દૂર કરવામાં તમને પંદર દિવસ લાગે છે. આ યોગ્ય નથી. એક લોકતંત્ર તરીકે ભારત તેની ડિજિટલ સાર્વભૌમત્વની સુરક્ષા માટે સમાનરૂપે અધિકાર ધરાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">