રામમંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, શિલાન્યાસ માટે તારીખ નક્કી, આખરી નિર્ણય PMO કરશે
અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. શિલાન્યાસની તારીખ પર આખરી નિર્ણય PMO કરશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં […]
અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. શિલાન્યાસની તારીખ પર આખરી નિર્ણય PMO કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સિવાય બેઠકમાં મંદિરની ઉંચાઈ અને નિર્માણ વ્યવસ્થાઓ પર પણ ચર્ચા થઈ. આ બેઠક અયોધ્યા સર્કિટ હાઉસમાં બપોરે 3 વાગ્યે શરૂ થઈ, આ બેઠક લગભગ 2 કલાક 30 મિનિટ જેટલી ચાલી. ત્યારે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું કે મંદિરનું નિર્માણ જાણીતા આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા જ કરશે. તેમને જ સોમનાથ મંદિરને પણ બનાવ્યું છે.
મળતી માહિતી મુજબ બેઠકમાં સૌથી પહેલા મંદિર નિર્માણનું કામ શરૂ કરવા પર જોર આપવામાં આવ્યું છે. તે સિવાય પહેલા 3 શિખરનો પ્રસ્તાવ હતો, હવે 5 શિખરનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે જ તેની ઉંચાઈ 148 ફૂટથી વધીને 161 ફૂટ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો