ઈન્દિરા ગાંધી, હાજી મસ્તાનથી લઈને બાબા રામદેવ સુધીના અનેક હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા રામ જેઠમલાણી
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. જેઠમલાણી છેલ્લા 2 અઠવાડિયાથી ખુબ બિમાર હતા. બિમારીને લીધે તેઓ તેમના બેડ પરથી પણ ઉભા નહતા થઈ શકતા. રામ જેઠમલાણીના પુત્ર મહેશે જણાવ્યું કે તેમનો અંતિમ સંસ્કાર સાંજે લોઘી રોડ સ્મશાનમાં કરવામાં આવશે. રામ જેઠમલાણીએ માત્ર 13 વર્ષની ઉંમરમાં જ મેટ્રિક પાસ કર્યુ હતું, સાથે […]
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. જેઠમલાણી છેલ્લા 2 અઠવાડિયાથી ખુબ બિમાર હતા. બિમારીને લીધે તેઓ તેમના બેડ પરથી પણ ઉભા નહતા થઈ શકતા. રામ જેઠમલાણીના પુત્ર મહેશે જણાવ્યું કે તેમનો અંતિમ સંસ્કાર સાંજે લોઘી રોડ સ્મશાનમાં કરવામાં આવશે.
રામ જેઠમલાણીએ માત્ર 13 વર્ષની ઉંમરમાં જ મેટ્રિક પાસ કર્યુ હતું, સાથે જ 17 વર્ષની ઉંમરમાં તેમની પાસે લૉની ડીગ્રી હતી. જેઠમલાણીએ 78 વર્ષની આસપાસ વકીલાત કરી. તેમને વર્ષ 1959માં નાણાવટી કેસ લડ્યો, આ કેસમાં તેમની ઓળખાણ બની ગઈ, ત્યારબાદ તેમને ક્રિમિનલ લૉ પ્રેક્ટિસના મામલેના મોટા વકીલ માનવામાં આવ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેઠમલાણીએ ઘણા વિવાદીત કેસ લડ્યા
જેઠમલાણીએ તેમની વકીલાતના કરિયરમાં ઘણા હાઈ પ્રોફાઈલ ગુનાઓના કેસ લડ્યા, ઘણા વિવાદિત કેસોની લોબીંગ કરવા બદલ તેમની ટીકા પણ કરવામાં આવી હતી પણ જેઠમલાણીએ ક્યારેય તેમની ટીકાઓ અને વિવાદોને ટાળ્યા નથી. રામ જેઠમલાણી દ્વારા લડવામાં આવેલા ઘણા હાઈ પ્રોફાઈલ કેસ પર એક નજર કરીએ.
1. રામ જેઠમલાણી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહના વકીલ તરીકે હાજર થયા હતા. તેમને એમ્સના ડૉક્ટર અને ઈન્દિરા ગાંધીની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરનારા ટી.ડી.ડોગરા દ્વારા આપેલા મેડિકલ રિપોર્ટને ચેલેન્જ પણ કર્યો હતો.
2. જેઠમલાણીએ પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીના હત્યારાઓનો મદ્રાસ હાઈકોર્ટમાં 2011 કેસ લડ્યો હતો.
3. રામ જેઠમલાણી અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાનના પણ વકીલ બન્યા હતા.
4. જેઠમલાણીએ પ્રખ્યાત જેસિકા લાલ હત્યા કેસના આરોપીની વકીલાત કરી હતી.
5. સોહરાબુદ્દીન હત્યાકાંડમાં ગૃહમંત્રી અમિત શાહના વકીલ રામ જેઠમલાણી જ હતા.
6. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં ફસાયા પછી જેઠમલાણીને તેમના વકીલ બનાવ્યા હતા.
7. તમિલનાડૂના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની આવકથી વધારે સંપતિ મામલે ફસાવવા પર રામ જેઠમલાણીએ તેમની વકીલાત કરી હતી.
8. રામ જેઠમલાણી જોધપુર બળાત્કાર મામલે આસારામના વકીલ બન્યા હતા.
9. યોગ ગુરૂ બાબા રામદેવને રામલીલા મેદાન મામલે જેઠમલાણીએ તેમનો કેસ લડ્યો હતો.
10. રામ જેઠમલાણીએ સેબી કેસમાં સુબ્રત રોય સહારાની વકીલાત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વડાપ્રધાન મોદી સહિત ઘણા નેતાઓએ રામ જેઠમલાણીના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે રામ જેઠમલાણીજીના નિધનથી ભારતે એક અસાધારણ વકીલ અને પ્રતિષ્ઠિત વ્યક્તિને ખોયા છે, રામ જેઠમલાણીએ ન્યાયાલય અને સંસદ બંનેમાં સમૃદ્ધ યોગદાન આપ્યુ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]