રજનીકાંતે તેમના રાજકીય સંગઠન RMMનું કર્યું વિસર્જન, કહ્યું ‘રાજકારણમાં વાપસીનો કોઈ પ્લાન નથી’

અભિનેતા રજનીકાંતે સોમવારે તેમની પાર્ટી 'રજની મક્કલ મંદ્રમ'નું વિસર્જન કરી દીધું હતું. સાથે જ પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

રજનીકાંતે તેમના રાજકીય સંગઠન RMMનું કર્યું વિસર્જન, કહ્યું 'રાજકારણમાં વાપસીનો કોઈ પ્લાન નથી'
Rajinikanth disbanded his political organization RMM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 3:51 PM

સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે (superstar rajinikanth) સોમવારે તેમની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ (RMM) નું વિસર્જન કરી દીધું છે. આ સાથે રજનીકાંતે કહ્યું કે, તેઓ હવે રાજકારણમાં નહીં આવે. સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તે પછી તેમણે ક્યારેય રાજકારણમાં ન આવવાનો નિર્ણય લીધો છે.

રજનીકાંતે ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને બંધ કરતા કહ્યું કે, મારી ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાની કોઈ યોજના નથી. હું રાજકારણમાં આવવાનો નથી. રજનીકાંતે RMM પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો છે. રજનીકાંતે તેના ચાહકો સાથે બેઠક પણ યોજી છે.

બીજી તરફ રજનીકાંતે 29 ડિસેમ્બર, 2020 ના રોજ જાહેરાત કરી હતી કે, તેઓ રાજકારણમાં નહીં આવે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં જોડાવા અંગે ફરીથી ચર્ચા કરશે. પરંતુ હવે તેમણે આખરે તમામ પ્રકારની અટકળોનો અંત લાવી દીધો છે. રજનીકાંતના રાજકારણમાં પાછા ફરવાની ચર્ચાઓ વચ્ચે તમિળનાડુના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

ગત વર્ષે એક પત્રમાં રજનીકાંતે કહ્યું હતું કે, હું રાજકીય પક્ષ શરૂ નહીં કરીશ તે જાણ કરીને મને દુ:ખ થાય છે. આ નિર્ણય ભારે હૃદયથી લેવામાં આવ્યો છે. તેમણે પોતાના નિર્ણયને લઈને કોરોના વાયરસના નવા સ્ટ્રેન તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો હું લોકોને મળું છું અને સંક્રમિત થઈશ તો મારી સાથે રહેનારાઓને પણ સંઘર્ષ કરવો પડશે અને તેઓ જીવનની શાંતિ તેમજ પૈસા પણ ગુમાવશે.

આ પણ વાંચો: Good News : મુંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના કેસ, હોસ્પિટલોમાં 85% થી વધુ બેડ ખાલી

આ પણ વાંચો: Jagannath Puri Rath Yatra 2021 : પુરીમાં પણ નીકળી જગન્નાથજીની રથયાત્રા, જુઓ ફોટોઝ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">