કોટામાં 100થી વધુ બાળકોના મોત પછી ગેહલોત સરકાર પર ઉઠ્યા ગંભીર સવાલ, ભાજપે કરી CMના રાજીનામાની માગ
રાજસ્થાનના કોટા જિલ્લામાં થયેલા બાળકોના મોતને લઈ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 2019ના ડિસેમ્બર મહિનામાં કોટાની જે.કે.લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોતને લઈ ગેહલોત સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો કમાલ થઈ ગયો, 10,000ની SIP એ […]
રાજસ્થાનના કોટા જિલ્લામાં થયેલા બાળકોના મોતને લઈ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 2019ના ડિસેમ્બર મહિનામાં કોટાની જે.કે.લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોતને લઈ ગેહલોત સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની સમક્ષ હાજરી આપવી પડી. પાંડેએ ગેહલોત સરકારનો સોનિયા ગાંધીની સામે પક્ષ રાખ્યો અને માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ તેમને કોટાની સરકારી હોસ્પિટલની સ્થિતીને લઈ નારાજગી વ્યક્ત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગેહલોત સરકાર સતત એ કહેવાનો પ્રયત્ન કરી રહી છે રાજ્યની તબીબી વ્યવસ્થા હચમચી નથી. ગેહલોત સરકારમાં સામેલ મુખ્યપ્રધાન અશોક ગેહલોત, સ્વાસ્થ્ય મંત્રી ડૉ.રઘુ શર્મા સહિત સરકારના વરિષ્ઠ નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોના મુકાબલે 2019માં કોટાની હોસ્પિટલમાં મોતનો આંકડો ઓછો છે.
ભાજપે કરી રાજીનામાની માગ
ત્યારે બીજી તરફ ભાજપે પણ ગેહલોત સરકાર પર હુમલો કર્યો છે. રાજસ્થાનના ભાજપ અધ્યક્ષે માગ કરી છે કે રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નૈતિક આધાર પર કોટામાં બાળકોના મોતને લઈ રાજીનામું આપી દેવું જોઈએ.
આ પણ વાંચો: રાજસ્થાનના કોટામાં 104 નવજાત બાળકોની મોત, હોસ્પિટલમાં ગત વર્ષે કુલ 963 બાળકના મોત
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]