Rajasthan: અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો, 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ
ગુજરાતના અંબાજીથી(Ambaji) રાજસ્થાનના રામદેવરા જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. તેમજ 25 લોકો ઘાયલ થયા છે.
ગુજરાતના અંબાજીથી રાજસ્થાનના(Rajasthan) રામદેવરા(Ramdevra) જઇ રહેલા યાત્રિકોને અકસ્માત(Accident) નડ્યો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. તેમજ 25 લોકો ઘાયલ થયા છે. જેમાં ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેમજ સુમેરપુરના નેશનલ હાઇવે પર પાલડી રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના દાતા તાલુકાના કુકડી ગામના 25 યાત્રાળુઓ રામ દેવરા જતા હતા. આદિવાસી સમાજના લોકો માનતા કરવા માટે રામદેવરા જતાં હતાં.
અકસ્માતમાં 25 થી વધુ ઘાયલ
પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે પુર ઝડપે જઇ રહેલા ટ્રેલરે રામદેવરા જઈ રહેલા યાત્રિકોથી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઘાયલોને સુમેરપુર અને શિવગંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજસ્થાન: અંબાજીથી રાજસ્થાન જઇ રહેલા યાત્રિકોને નડ્યો અકસ્માત, અકસ્માતમાં 7ના મોત.. 25 લોકો ઇજાગ્રસ્ત | Tv9News #Rajsthan #Accident #Ambaji #Gujarat pic.twitter.com/FZ39Hvzlas
— Tv9 Gujarati (@tv9gujarati) August 19, 2022
ધારાસભ્ય સંયમ લોઢા ઘટનાસ્થળે પહોંચ્યા
માહિતી બાદ સુમેરપુર પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ હોસ્પિટલમાં અરાજકતાનો માહોલ છે. ઘટનાસ્થળે ઘાયલોની ચીસો છે. અકસ્માતની માહિતી મળતાં જ સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢા અને જિલ્લા કલેક્ટર ડૉ. ભંવરલાલ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
(With Input, Atul Trivedi, Banaskantha)