Jodhpur Violence: હિંસક અથડામણ બાદ 3 લોકો કસ્ટડીમાં, 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

ઘટના બાદ પોલીસે (Police) જાલૌરી ગેટ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને મોડી રાત્રે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Jodhpur Violence: હિંસક અથડામણ બાદ 3 લોકો કસ્ટડીમાં, 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
Jodhpur Violence - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 3:10 PM

રાજસ્થાનમાં (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહ જિલ્લા જોધપુર (Jodhpur) અને વિધાનસભા મતવિસ્તાર સરદારપુરામાં મોડી રાત્રે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ આ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાયો હતો. સોમવારે મધ્યરાત્રિએ, જાલૌરી ગેટ ચોક પર સ્થિત સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પાસે ધ્વજ લહેરાવવાને લઈને વિવાદ શરૂ થયો, જે ટૂંક સમયમાં પથ્થરમારો અને બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. ઘટના બાદ પોલીસે જાલૌરી ગેટ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને મોડી રાત્રે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મંગળવારે સવારે ઇદની નમાજ પછી, પરિસ્થિતિ તંગ બની હતી, જે પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અથડામણ પછી બપોર સુધી જોધપુર પોલીસના જણાવ્યા અનુસાર, સ્થિતિ નિયંત્રણમાં છે અને હવે જોધપુરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે જે 4 મેની રાત સુધી ચાલુ રહેશે. પોલીસે અથડામણના સંબંધમાં 3 લોકોની અટકાયત પણ કરી છે.

બીજી તરફ તણાવની સ્થિતિને જોતા જોધપુરના તમામ બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને RAC કંપનીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. જાલૌરી ગેટ પર સ્થિતિ શાંત છે. સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત પોતે ઘટનાસ્થળે હાજર છે અને લોકોને શાંતિ જાળવવા માટે સતત અપીલ કરી રહ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતાં તેમના જન્મદિવસના તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને પોલીસને અસામાજિક તત્વો સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે વિવાદનો અંત લાવવાની દિશામાં પગલાં લેતા બંને સમુદાયના ધ્વજને હટાવી દીધો અને ત્યાં ત્રિરંગો ફરકાવ્યો. સાથે જ હંગામામાં કુલ 7 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, 3જી મેના રોજ બપોરે 1 વાગ્યા સુધી જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.

10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

આ ઘટના પછી, જોધપુર પોલીસે શહેરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવાના આદેશો જાહેર કર્યા છે, જે 4 મેની મધ્યરાત્રિ સુધી 12 સુધી અમલમાં રહેશે. જોધપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેડક્વાર્ટર રાજકુમાર ચૌધરીએ આદેશ જાહેર કરીને કહ્યું કે પોલીસ સ્ટેશન વિસ્તાર ઉદયમંદિર, સદરકોટવાલી, સદરબજાર નાગોરી ગેટ, પ્રતાપનગર, પ્રતાપનગર સદર દેવનગર, સુરસાગર, સરદારપુરામાં કર્ફ્યુ અમલમાં રહેશે, જે દરમિયાન કોઈપણ વ્યક્તિ ઘરની બહાર જઈ શકશે નહીં.

આ પણ વાંચો : PM Modi Europe Visit : ભારતીય સમુદાયના લોકોએ બર્લિનમાં ‘2024- મોદી વન્સ મોર’ના નારા લગાવ્યા, જુઓ Viral Video

આ પણ વાંચો : રાહુલ ગાંધી નેપાળની નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળ્યા, ભાજપ ઉઠાવી રહી છે સવાલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">