Rajsthan : ગેહલોત સરકારે નવી પ્રવાસન નીતિને આપી મંજુરી, 6000 ગાઈડની થશે ભરતી
Rajsthan Tourism : જયપુરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં પ્રવાસન નીતિ સહીત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં.
Rajsthan : રાજસ્થાનના પાટનગર જયપુરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નવી પ્રવાસન નીતિ અને મહિલા નીતિ સહીત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. નવી પ્રવાસન નીતિને કારણે રાજસ્થાનમાં પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે.
રાજસ્થાનની નવી પ્રવાસન નીતિ રાજસ્થાનમાં ગેહલોત સરકારની કેબિનેટે નવી પ્રવાસન નીતિને મંજુરી આપી દીધી છે. આ નવી પ્રવાસન નીતિથી રાજસ્થાનમાં પ્રવાસન ક્ષેત્રે મોટા સકારાત્મક ફેરફારો થશે. પ્રવાસન નીતિની સૌથી ખાસ વાત એ છે નવી પ્રવાસન નીતિને કારણે રાજસ્થાનમાં પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે. હવે રાજ્યમાં 6,000 ગાઈડ એટલે કે પ્રવાસ માર્ગદર્શકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત 6 થી લઈને 20 ઓરડા સુધીના ગેસ્ટહાઉસને પ્રવાસન માટે માન્યતા આપવામાં આવશે.
આ સાથે જ કેબીનેટ બેઠકમાં ટેકનોલોજી વિભાગમાં કાયમી કેડર, નવી મહિલા નીતિ, સોલાર પ્લાન્ટ મતે ભૂમિ સંપાદનના નિર્ણયો સરળ કરવા, મુખ્યપ્રધાન ચિરંજીવી યોજના જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં અને સાથે જ પેટાચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં પ્રવાસન ક્ષેત્રે અપાર સંભવનાઓ રાજસ્થાન એ ભારતનું એક એવું રાજ્ય છે જે પ્રવાસન માટે શ્રેષ્ઠ રાજ્ય માનવામાં આવે છે. રાજસ્થાનના દરેક જિલ્લામાં જોવાલાયક સ્થળો છે, ખાસ કરીને દરેક જિલ્લામાં એક કિલ્લો છે. આ સિવાય રાજસ્થાનમાં ઘણા પૌરાણિક મંદિરો પણ છે. કુદરતી સૌંદર્ય અને મહાન ઇતિહાસથી સંપન્ન રાજસ્થાનમાં પર્યટન ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે. રાજસ્થાન બંને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે યોગ્ય પર્યટન સ્થળ છે.
ભારત આવતા દરેક ત્રીજા વિદેશી પર્યટક દ્વારા રાજસ્થાનની મુલાકાત લેવાની ખાતરી છે કારણ કે તે ભારત આવતા પ્રવાસીઓ માટે રાજસ્થાનનો “ગોલ્ડન ટ્રાઈ એંગલ” રાજસ્થાનના પ્રવાસનો એક ભાગ છે. જયપુરના મહેલો, ઉદયપુરના સરોવરો અને જોધપુર, બિકાનેર અને જેસલમેરના ભવ્ય કિલ્લાઓ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ સૌથી વધુ પસંદ કરેલા સ્થળો છે. આ પ્રખ્યાત સ્થળો જોવા માટે હજારો પ્રવાસીઓ અહીં આવે છે. જયપુરનો હવામહાલ, જોધપુર, બીકાનેરનો ધોર અને જેસલમેરનો ધોર એકદમ પ્રખ્યાત છે. જોધપુરનો મેહરાનગઢ કિલ્લો, સવાઈ માધોપુરનો રણથંભોર કિલ્લો અને ચિત્તોડગઢનો કિલ્લો ખૂબ પ્રખ્યાત છે. રાજસ્થાનમાં ઘણી પ્રાચીન હવેલીઓ પણ છે જે હાલના સમયમાં હેરિટેજ હોટલો બની ગઈ છે. પ્રવાસનને કારણે અહીંના આતિથ્યક્ષેત્રમાં રોજગારીને પણ વેગ મળ્યો છે.