Jodhpur: ગેસ ભરતી વખતે લાગી આગ, એક પછી એક અનેક સિલિન્ડરમાં વિસ્ફોટ, 4ના મોત

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા અને અન્ય 16 લોકો ઘાયલ થયા છે, જેમને જોધપુરની (Jodhpur) મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘાયલ થયેલા લોકોમાં 80 ટકા દાઝી ગયા છે.

Jodhpur: ગેસ ભરતી વખતે લાગી આગ, એક પછી એક અનેક સિલિન્ડરમાં વિસ્ફોટ, 4ના મોત
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 6:01 PM

રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાં શનિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. માતા કા થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત મગરા પુંજલા વિસ્તારમાં આજે બપોરે એક મકાનમાં એક પછી એક ઘણાં જોરદાર ધડાકાના અવાજો સંભળાયો. આ વિસ્ફોટ એટલા જોરદાર હતા કે જે મકાનમાં આ વિસ્ફોટ થયા હતા, તેની આસપાસના મકાનોમાં ધ્રુજારી પેદા થઈ હતી. જાણે ધરતીકંપ આવ્યો હોય. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય 16 લોકો ઘાયલ થયા છે. તમામને જોધપુરની (Jodhpur) મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .

મગરા પુંજલા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરી રહેલા એક વ્યક્તિના ઘરમાં અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. આ પછી ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયા બાદ એક પછી એક લગભગ ચારથી છ સિલિન્ડર ફાટ્યા. આ અકસ્માત દરમિયાન ઘરમાં એક જ પરિવારના 20 લોકો હાજર હતા, જેમાંથી ચાર લોકોનું મોત થયું હતું, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.

હોસ્પિટલમાં જઈને ડીએમે ઘાયલોની જાણી સ્થિતી

તમામ 16 ઘાયલને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘાયલોમાં 80 ટકા દાઝી ગયા છે. અકસ્માતની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની સારવાર વિશે ડોક્ટરોને વિશેષ સૂચનાઓ આપી હતી. એમ જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે મગરા પુંજાલા વિસ્તારના કીર્તિ નગરમાં રહેતા ભોમારામના ઘરે અકસ્માત થયો, ત્યારે તે સમયે ભોમારામ સહિત તેના ત્રણ ભાઈઓના પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, જેઓ આ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ ઘટના બાદ આ ઘરમાંથી લગભગ ચાર ડઝન ગેસ સિલિન્ડર બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગેરકાયદેસર ચાલી રહ્યું હતું ગેસ રિફિલિંગનું કામ

સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેઓને ખબર ન હતી કે ઘરની અંદર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરવામાં આવે છે. આજે જ્યારે બ્લાસ્ટ બાદ ઘરમાંથી ગેસ સિલિન્ડરો મળ્યા ત્યારે તે લોકોને ખબર પડી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘાયલોમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. પોલીસની મદદથી તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ-વહીવટી તંત્રએ પણ ઘાયલોને બહાર કાઢવામાં અને હોસ્પિટલ પહોંચાડવામાં ઘણી મદદ કરી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">