Rajasthan: કેબિનેટના પુનર્ગઠન પહેલા મોટા સમાચાર! તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા, રવિવારે યોજાશે PCCની બેઠક

રાજસ્થાનમાં અશોક ગેહલોત કેબિનેટના પુનર્ગઠન પહેલા તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. પીસીસીની બેઠક રવિવારે યોજાશે. તમામ ધારાસભ્યોને પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે.

Rajasthan: કેબિનેટના પુનર્ગઠન પહેલા મોટા સમાચાર! તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા, રવિવારે યોજાશે PCCની બેઠક
Rajasthan CM Ashok Gehlot (file photo).
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 10:12 PM

રાજસ્થાનમાં અશોક ગેહલોત (Ashok gehlot) કેબિનેટના પુનર્ગઠન પહેલા તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. પીસીસીની બેઠક રવિવારે યોજાશે. તમામ ધારાસભ્યોને પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં ફેરબદલ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે મંત્રી પરિષદની બેઠક ચાલી રહી છે. આ પછી તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું, જેને મુખ્યમંત્રીએ સ્વીકારી લીધું છે. બેઠક બાદ તેઓ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળે તેવી શક્યતા છે.

સાંજે લગભગ સાત વાગ્યે બેઠક શરૂ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે શપથ સમારોહ રવિવારે યોજાય તેવી શક્યતા છે. બીજી તરફ ગોવિંદ સિંહ ડોટાસરા, હરીશ ચૌધરી અને રઘુ શર્માએ શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લેખિતમાં રાજીનામું આપી દીધું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પેટાચૂંટણીમાં સારા દેખાવ બાદ ફેરફારો થઈ રહ્યા છે

રાજસ્થાનમાં તાજેતરની પેટાચૂંટણીમાં પાર્ટીના મજબૂત પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં કેબિનેટમાં ફેરબદલની કવાયત કરવામાં આવી છે. શાસક કોંગ્રેસે વલ્લભનગર બેઠક જાળવી રાખી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસેથી ધારિયાવાડ છીનવી લીધું.

પરિવહન મંત્રીનો ચાર્જ સંભાળનાર પ્રતાપ સિંહ ખાચરિયાવાસે જણાવ્યું કે બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું, ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે કહ્યું “અમને રવિવારે બપોરે 2 વાગ્યે પીસીસી કાર્યાલય જવા માટે કહેવામાં આવ્યું છે, જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, એઆઈસીસી (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના જનરલ સેક્રેટરી અજય માકન અને પીસીસી (સ્ટેટ કોંગ્રેસ કમિટી)ના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરા દ્વારા આગળના નિર્દેશ આપવામાં આવશે.”

કોને મંત્રીપદ મળી શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સહમતિ સધાઈ ગયા બાદ કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે. સચિન પાયલોટ જૂથમાંથી હેમારામ ચૌધરી, બ્રિજેન્દ્ર ઓલા, દીપેન્દ્ર સિંહ શેખાવત, રમેશ મીણા અને મુરારીલાલ મીણાને મંત્રી પદ મળી શકે છે.

તે જ સમયે, આ કેબિનેટ વિસ્તરણમાં તે ધારાસભ્યો માટે પણ આશા છે જેઓ બસપાથી અલગ થઈને ગેહલોત સરકારને સમર્થન આપી રહ્યા છે. ગેહલોત જૂથમાંથી જેમને મંત્રી પદ મળી શકે છે તેમાં બસપાના રાજેન્દ્ર ગુઢા, અપક્ષ મહાદેવ ખંડેલા, સંયમ લોઢા અને કોંગ્રેસના મહેન્દ્રજીત સિંહ માલવિયા, રામલાલ જાટ, મંજુ મેઘવાલ, ઝાહિદા ખાન અને શંકુતલા રાવતના નામ સામેલ છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પત્ની અમૃતા ફડણવીસનું નવુ ગીત આવ્યું, ઈન્ટરનેટમાં સેંશેસનલ હિટ ‘Manike Mage Hithe’નું હીંદી વર્ઝન ગાયું

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">