રેલ રોકો આંદોલન: ખેડુતો આજે દેશભરમાં ટ્રેનો રોકશે, આરપીએફએ વધારી સુરક્ષા

ખેડૂતો દ્વારા આજે રેલ રોકો આંદોલનની ઘોષણા કરી છે. ખેડૂતોની ઘોષણા બાદ આરપીએફએ દિલ્હી, હરિયાણા અને યુપીને અડીને આવેલા સ્ટેશનો પર ચોકસાઈ વધારી દીધી છે.

રેલ રોકો આંદોલન: ખેડુતો આજે દેશભરમાં ટ્રેનો રોકશે, આરપીએફએ વધારી સુરક્ષા
ખેડૂતોનું રેલ રોકો આંદોલન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 18, 2021 | 11:08 AM

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આજે ​​રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. એટલે કે 18 ફેબ્રુઆરીએ ખેડુતો બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી રેલ રોકવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતાઓના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન મુસાફરોને ચા પીરસવામાં આવશે. રસ્તા વચ્ચે ટ્રેન રોકવાથી બચવામાં આવશે. રેલગાડીઓ પર માળા પહેરાવીને ટ્રેનો રોકી દેવામાં આવશે. દિવસ દરમિયાન ઘણી ઓછી ટ્રેનો ચાલે છે, તેથી દિવસના ચાર કલાક પસંદ કરવામાં આવ્યા છે.

બુધવારે ખેડુતોની ઘોષણા બાદ આરપીએફએ દિલ્હી, હરિયાણા અને યુપીને અડીને આવેલા સ્ટેશનો પર ચોકસાઈ વધારી દીધી છે. સલામતી માટે વધારાની આરપીએફ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સ્ટેશનો તરફ જવાના મુખ્ય માર્ગો ઉપરાંત અન્ય રૂટ પણ બંધ કરાયા છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા સ્ટેશનોની આસપાસ બેરીકેડીંગ વધારવામાં આવ્યા છે. દેશભરમાં આરપીએફની 20 સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને હરિયાણા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સુરક્ષામાં વધારો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સરહદને અડીને આવેલા ટ્રેક, સિંઘુ બોર્ડર, ટીકરી બોર્ડર, ગાઝીપુર બોર્ડર આસપાસના સ્ટેશન, જેવા કે નરેલા, આનંદ વિહાર ટર્મિનલ, શાહદરા વગેરે સ્ટેશનો પર આરપીએફના જવાનો નજર રાખી રહ્યા છે. અહીંના ટ્રેક ઉપર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ તેના સમયપત્રક અનુસાર ચાલશે. રેલ્વે કામગીરીને અવરોધવું ગેરકાયદેસર છે. આરપીએફના સહયોગથી નિયમ ભંગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ નિયમ છે

જો રેલ્વે કામગીરીમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઉભો થાય તો તેમની વિરુદ્ધ રેલ્વે એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો ટ્રેનમાં કોઈ પણ પ્રકારનો સામાન ફેંકવામાં આવે છે અથવા ટ્રેકને નુકસાન થાય છે, તો રેલ્વે એક્ટની કલમ 150 હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. સેક્શન 174 મુજબ ટ્રેન પર બેસીને વખતે અથવા વચ્ચે કંઇક રાખીને ટ્રેન રોકી દેવામાં આવે તો બે વર્ષ જેલ અથવા 2000 રૂપિયા દંડ અથવા બંને થઈ શકે છે. રેલ્વે કર્મચારીઓના કામમાં અડચણ ઉભી કરવા, રેલવેમાં જબરદસ્તી પ્રવેશ પર 146, 147 ની જોગવાઈ છે. તે હેઠળ છ મહિના જેલ અથવા એક હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઇ શકે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">