‘રાહુલ ગાંધી દેશના સૌથી અસફળ અને હતાશ નેતા’: CM શિવરાજસિંહ ચૌહાણ

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું “રાહુલ ગાંધી દેશના સૌથી નિષ્ફળ,હતાશ અને નિરાશ નેતા છે. કોઈ પણ દેશભક્ત નેતા વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરતા નથી.

'રાહુલ ગાંધી દેશના સૌથી અસફળ અને હતાશ નેતા': CM શિવરાજસિંહ ચૌહાણ
Shivraj Singh Chauhan-Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 5:43 PM

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર જોરદાર હુમલો કર્યો છે. લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે સીએમ શિવરાજસિંહની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશના સૌથી નિષ્ફળ, હતાશ અને અત્યંત નિરાશ નેતા છે. રાહુલ ગાંધીની લંડન મુલાકાત બાદથી ભાજપ (BJP) તેમના નિવેદનો પર પ્રહાર કરી રહી છે. આ પહેલા ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું “રાહુલ ગાંધી દેશના સૌથી નિષ્ફળ,હતાશ અને નિરાશ નેતા છે. કોઈ પણ દેશભક્ત નેતા વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરતા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન કરીને રાહુલ ગાંધીએ તેમની દેશભક્તિ અને રાષ્ટ્રીય વફાદારી પર સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસનો માલિક ભગવાન છે: શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું “અમે ક્યારેય વિદેશ જઈને દેશની ટીકા કરી નથી. નવાઈની વાત એ છે કે કેટલાક નેતાઓ આ નેતાને કોંગ્રેસ પ્રમુખ બનાવવા માટે પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના માલિક ભગવાન છે.

રાહુલ ગાંધીના કયા નિવેદન પર ભાજપે કર્યા પ્રહાર?

તમને જણાવી દઈએ કે શુક્રવારે લંડનમાં થિંક ટેન્ક બ્રિજ ઈન્ડિયા દ્વારા આયોજિત આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સના સંવાદ સત્રમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “ભારતની આત્મા પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને અવાજ વગરની આત્માનો કોઈ અર્થ નથી અને શું થયું કે ભારતનો અવાજ કચડી નાખવામાં આવ્યો છે.” રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે દેશના સંસ્થાકીય માળખા દ્વારા ભારતના અવાજને કચડી નાખવામાં આવ્યો છે, જે પરોપજીવી બની રહ્યું છે, તેથી અદ્રશ્ય દળો, સીબીઆઈ, ઈડી હવે ભારતીય રાજ્યને પોકળ કરી રહ્યા છે, જેવુ પાકિસ્તાનમાં થાય છે.”

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">