તેલની કિંમતોમાં વધારાને લઈને રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર હુમલો, શેર કર્યા આંકડા, કહ્યું- આ ‘લૂંટ સ્કીમ’ છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે ​​તેલની કિંમતોમાં વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં 2014માં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં આવ્યા બાદ તેલની કિંમતોમાં થયેલા વધારાનો ઉલ્લેખ છે.

તેલની કિંમતોમાં વધારાને લઈને રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર હુમલો, શેર કર્યા આંકડા, કહ્યું- આ 'લૂંટ સ્કીમ' છે
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 1:06 PM

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે ​​તેલની કિંમતોમાં વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં 2014માં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં આવ્યા બાદ તેલની કિંમતોમાં થયેલા વધારાનો ઉલ્લેખ છે. તેના કેપ્શનમાં રાહુલે લખ્યું છે કે, આ વડાપ્રધાનની જન ધન લૂંટ યોજના છે. રાહુલે 2014 પહેલાના તેલના ભાવ અને વર્તમાન તેલના ભાવ વચ્ચે પણ સરખામણી કરી છે. રાહુલે શેર કરેલી તસવીરમાં જણાવવામાં આવ્યું છે કે, મે 2014 પહેલા બાઇક અથવા સ્કૂટરની ટાંકી ભરવા માટે 714 રૂપિયાનો ખર્ચ થતો હતો અને હવે 1014 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

તેમણે અહીં કારની ટાંકી ભરવાની કિંમતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, પહેલા કારની ટાંકી ભરવા માટે 2856 રૂપિયા ખર્ચાતા હતા, જ્યારે હવે તે જ કામ કરવા માટે 4152 રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. રાહુલે અહીં ટ્રેક્ટર અને ટ્રકની ટાંકી ભરવાના ખર્ચ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે અગાઉ ટ્રેક્ટર અને ટ્રકની ટાંકી ભરવાનો ખર્ચ અનુક્રમે રૂ. 2749 અને 11456 હતો જે હવે વધીને 4563 અને 19014 થયો છે.

મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોંગ્રેસની દિલ્હી યુનિટે રવિવારે પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં ઈંધણ અને ગેસના ભાવમાં સતત વધારાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પક્ષના ‘ડીયરનેસ ફ્રી ઈન્ડિયા’ અભિયાનનો એક ભાગ હતો અને તેનું નેતૃત્વ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિ (DPCC)ના પ્રમુખ ચૌધરી અનિલ કુમારે કર્યું હતું. વિરોધીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેલ અને કુદરતી ગેસના ભાવમાં તીવ્ર વધારા માટે તેને જવાબદાર ઠેરવ્યો હતો.

મોટરસાઇકલ અને ગેસ સિલિન્ડર પર પુષ્પાંજલિ અર્પી

કુમારે કહ્યું કે, કેન્દ્રએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ, ડીઝલ, CNG, PNG અને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું, “ઈંધણના ભાવમાં વધારા સાથે, રોજિંદા જીવનની અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ઈંધણના ભાવમાં ઘટાડો કરવો જોઈએ.

આ પણ વાંચો: ECIL Recruitment 2022: ECILમાં જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે અરજી કરો

આ પણ વાંચો: SSC CGL Admit Card 2021: SSC CGL એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, ssc.nic.in પરથી કરો ડાઉનલોડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">