Farmers Protest : પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રને કરી અપીલ, કહ્યું- ખેડૂતો સાથે પંજાબ સરકાર, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો

શપથ લીધા બાદ પત્રકાર પરિષદમાં સીએમ ચન્નીએ કહ્યું, પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો.

Farmers Protest : પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રને કરી અપીલ, કહ્યું- ખેડૂતો સાથે પંજાબ સરકાર, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો
Punjab : CM Charanjit Singh Channi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 2:23 PM

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) રાજ્યના નવા મુખ્યમંત્રી (Chief Minister) તરીકે ચૂંટાયા છે. તેમણે સોમવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ લીધા બાદ પત્રકાર પરિષદમાં સીએમ ચન્નીએ કહ્યું, પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો.

મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું, આ સામાન્ય માણસની સરકાર છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં શાનદાર કામ કર્યું છે. તેમણે કહ્યું, કોંગ્રેસે (Congress) સામાન્ય માણસને મુખ્યમંત્રી બનાવ્યા છે. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું. શપથ લીધા બાદ તેમની પ્રથમ પત્રકાર પરિષદમાં ચન્નીએ એમ પણ કહ્યું હતું કે રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને તમામ મુદ્દાઓ ઉકેલાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રેતી માફિયાઓ અને ગેરકાયદે ખનન પર રોક લગાવવામાં આવશે

કોંગ્રેસના નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલા 18 પોઇન્ટ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ રાજ્યના લોકોને ખાતરી આપે છે કે આગામી દિવસોમાં તમામ મુદ્દાઓ ઉકેલાશે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, આજે આપણે રેતી માફિયાઓ અને ગેરકાયદે ખનન પર રોક લગાવવા માટે એક મોટું પગલું ભરીશું.

ખેડૂતોના આંદોલનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કૃષિ કાયદા રદ કરવા જોઈએ. તેમણે કહ્યું, પંજાબની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવવો પડશે. આપણે બધાએ સાથે રહેવાનું છે અને પંજાબને આગળ લઈ જવાનું છે.

અમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન (New CM) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ પંજાબના પ્રથમ દલિત નેતા છે, જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.

58 વર્ષીય ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં તેઓ ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા. તેઓ રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2007 માં પ્રથમ વખત આ પ્રદેશમાંથી ધારાસભ્ય બન્યા હતા. સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : School Reopening: દેશભરમાં શાળાઓ ખોલવાની માગ, સુપ્રીમ કોર્ટે અરજી પર લીધો આ નિર્ણય

આ પણ વાંચો : પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">