અમૃતસર: BSF હેડક્વાર્ટરમાં અંધાધૂંધ ગોળીબારમાં 4 જવાન શહીદ, ગોળીબાર કરનારનું પણ મોત

આ સમગ્ર ઘટનામાં 10 જવાન ઘાયલ થયા છે, જેમાંથી 4ના મોત થયા છે. જ્યારે ગોળી ચલાવનાર સટ્ટપ્પાએ પણ જીવ ગુમાવ્યો છે.

અમૃતસર: BSF હેડક્વાર્ટરમાં અંધાધૂંધ ગોળીબારમાં 4 જવાન શહીદ, ગોળીબાર કરનારનું પણ મોત
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 7:28 PM

Amritsar : પંજાબના અમૃતસર શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં BSFના અન્ય એક જવાન સટ્ટપ્પા SKએ સવારે BSFના (Border Security Force) ખાસા હેડક્વાર્ટર 144 (બીએન) શાખામાં બેઠેલા BSF જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને પછી પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં 6 જવાન ઘાયલ થયા છે, જેમાંથી 5ના મોત થયા છે. ગોળી ચલાવનાર જવાન સટ્ટપ્પા SKનું પણ મોત થયું છે. જ્યારે એક જવાનની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. હાલ આ ઘટના બાદ BSFના આઈજી આસિફ જલાલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

લગભગ 6 જવાનોને ગોળીઓ વાગી

કહેવામાં આવી રહ્યું છે કે સટ્ટપ્પા મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતા અને તેમના વરિષ્ઠ અધિકારીઓને તેમની ફરજ બદલવાની કોશિશ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સટ્ટપ્પાની ડ્યૂટી બદલવાને લઈને BSFના એક વરિષ્ઠ અધિકારી સાથે દલીલ થઈ હતી. રવિવારે સવારે ફરજ પર રહેલા સટ્ટપ્પા ગુસ્સામાં આવી ગયા અને પોતાની રાઈફલથી ગોળીબાર કરવા લાગ્યા.

ગોળીબારનો અવાજ સાંભળીને અન્ય સૈનિકો અહીં-ત્યાં દોડવા લાગ્યા, જ્યાં લગભગ 6 જવાનોને ગોળીઓ વાગી. ઘટના બાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગથી લગભગ 20 કિમી દૂર છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા જવાનોના પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. મળતી માહિતી મુજબ તમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પર BSF દ્વારા એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Jammu-Kashmir: આતંકવાદીઓની નાપાક હરકત, શ્રીનગરમાં સૈનિકો પર કર્યો ગ્રેનેડ હુમલો, અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">