Punjab: મોગામાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર, નવજોતસિંહ સિદ્ધુનાં કાર્યક્રમમાં જઈ રહેલા કોંગ્રેસનાં 3 કાર્યકરનાં મોત, 50 ઘાયલ
કામદારોની બસ ઝીરાથી ચંદીગઢ જઇ રહી હતી. મુખ્યમંત્રી અમરિંદરસિંહે ટ્વીટ કરીને અકસ્માત અંગેની માહિતી આપી
Punbjab: નવજોતસિંહ સિદ્ધુ (Navjyotsingh Siddhu)ના કાર્યક્રમ માટે ચંદીગઢ (Chandigarh)જતી બસ માર્ગ અકસ્માતનો શિકાર બની છે. આ ઘટનામાં કોંગ્રેસ(Congress)ના ત્રણ કાર્યકરોનું મોત નીપજ્યું હતું. 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ માર્ગ અકસ્માત (Accident) પંજાબના મોગામાં બન્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી બસની ગતિ વધુ હોવાથી આ અકસ્માત થયો હતો. કામદારોની બસ ઝીરાથી ચંદીગઢ જઇ રહી હતી. મુખ્યમંત્રી અમરિંદરસિંહે ટ્વીટ કરીને અકસ્માત અંગેની માહિતી આપી છે.
તેમણે કહ્યું કે મોગા જીલ્લામાં બસ અકસ્માત વિશે જાણીને દુ:ખ થયું છે જેમાં કોંગ્રેસના 3 કાર્યકરો કથિત રીતે માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ડીસી મોગાને તમામ ઇજાગ્રસ્તોની સારવાર માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે સરકારે ડોક્ટરો પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે. મોગા જીલ્લામાં બસ અકસ્માતની વાતથી દુ:ખ થયું જેમાં 3 કોંગ્રેસના કાર્યકરો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ડીસી મોગાને તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સંપૂર્ણ તબીબી સારવાર આપવા અને સરકારને રિપોર્ટ મોકલવા નિર્દેશ આપ્યો છે.
Saddened to learn of the bus accident in Moga district in which 3 Congress workers have reportedly died & many persons are injured. Have directed DC Moga to immediately provide full medical treatment to all the injured and to send a report to the Government.
— Capt.Amarinder Singh (@capt_amarinder) July 23, 2021