પુલવામામાં સેનાએ એન્કાઉન્ટરમાં જૈશના 4 આતંકીઓ કર્યા ઠાર , આતંકી બનેલા 2 SPOનો પણ ખાત્મો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ શુક્રવારે 4 આતંકીને ઠાર કર્યાની માહિતી સામે આવી છે. સેનાને પંજરાન લસ્સીપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી ગુરુવારે રાતે જ મળી ગઈ હતી. ત્યારપછી રાષ્ટ્રીય રાઈફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG), CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસે જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ પાસેથી AK-47 રાઈફલ સહિત મોટી માત્રામાં ગોળા-બારુદ મળી આવ્યા […]
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ શુક્રવારે 4 આતંકીને ઠાર કર્યાની માહિતી સામે આવી છે. સેનાને પંજરાન લસ્સીપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી ગુરુવારે રાતે જ મળી ગઈ હતી. ત્યારપછી રાષ્ટ્રીય રાઈફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG), CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસે જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ પાસેથી AK-47 રાઈફલ સહિત મોટી માત્રામાં ગોળા-બારુદ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત
માર્યા ગયેલા આ 4 આતંકવાદીઓમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના 2 SPOનો પણ સમાવેશ થાય છે. જે ગુરુવારે સાંજે સર્વિસ રાઇફલ લીને ફરાર થઈ ગયા હતા. લગભગ આ 18 કલાક બાદ આ ઓપરેશન પુર્ણ થયું હતું. સેનાએ પુલવામાના ત્રાલમાં 24 મેના રોજ અલકાયદાના આતંકી ઝાકીર મૂસાને પણ ઠાર કર્યો હતો.મૂસા બુરહાન વાણીના મોત પછી હિજબુલ કમાન્ડર હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]