પ્રિયંકા ગાંધીએ કહ્યુ આ સરકાર દુબઈમાં ISI સાથે વાત કરે છે, પણ કોરોના મુદ્દે વિપક્ષ સાથે નહી

લોકશાહીમાં સૌની સાથે વાત કરવી આવશ્યક, કયારેક ટીકા પણ સહન કરવી જોઈએ, આ રાજનીતિ કરવાનો કે તુ તુ મૈ મૈ કરવાનો સમય નથી, દેશહિતમાં હોવા છતા ના કર્યુ હોય તો વિપક્ષ ધ્યાન દોરે તેમા ખોટુ શુ ?

પ્રિયંકા ગાંધીએ કહ્યુ આ સરકાર દુબઈમાં ISI સાથે વાત કરે છે, પણ કોરોના મુદ્દે વિપક્ષ સાથે નહી
કોગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 11:58 AM

કોરોનાની બીજી લહેરમાં લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં મોદી સરકાર સદ્તર નિષ્ફળઃ પ્રિયંકા ગાંધી વાડ્રા

હાલ સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરમાં લપેટાઈ ગયો છે. રોજે રોજ કોરોનાના કેસના નવા નવા વિક્રમી આંકડાઓ સામે આવી રહ્યાં છે. હોસ્પિટલોની સ્થિતિ અતિ ખરાબ છે. દવા, ઈન્જેકશન અને ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ઓક્સિજનના અભાવે દર્દીઓ કોરોનાના દર્દીઓ મરી રહ્યાં હોવાના બનાવો હવે સામે આવી રહ્યાં છે. તબીબો આ પ્રકારની સ્થિતિ સામે લાચાર છે.

આવી સ્થિતિ અંગે કોગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ, ( Priyanka Gandhi ) આરોગ્ય મંત્રાલયની નિષ્ફળતાને ઉજાગર કરવા પ્રશ્નો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ સમાચાર સંસ્થા સાથે કરેલ વાતચીતમાં કહ્યુ છે કે, આ સરકાર દુબઈમાં ISI સાથે વાત કરી શકે છે પણ વિપક્ષ સાથે નહી. વિપક્ષ સાથે વાત કરવામા સરકાર નાનપ અનુભવે છે. વર્તમાન કેન્દ્ર સરકાર વિપક્ષ સાથે સુચનો અંગે ચર્ચા કરતી નથી કે વિપક્ષે સુચવેલા સુચનોને માનતી પણ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ હતું કે, સમગ્ર વિશ્વમાં ઓક્સિજનના ઉત્પાદનમાં ભારત મોખરાના સ્થાને છે. તો પછી આપણા દેશમાં ઓક્સિજનની તંગી અભાવ કેમ ? કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે 8થી 9 મહિનાનો સમયગાળો રહ્યો. સરકારે જ કરેલા સેરો સર્વેમાં જાહેર કરાયુ હતું કે કોરોનાની બીજી લહેર આવશે. તો પછી શા માટે આ 8થી 9 મહિનાના સમયગાળામાં બેદરકારી દાખવી ? બીજી લહેરમાં થવારી સંભવિત અસરને ખાળવા માટે કેમ કોઈ તૈયારી સરકારે ના કરી.

પ્રિયંકા ગાંધીએ ભારતમાંથી કોરોનાની રસીની કરાયેલી નિકાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે, સરકારે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કોરોનાની રસીના 6 કરોડ ડોઝની નિકાસ કરી. આ સમય દરમિયાન માત્ર 3 થી 4 કરોડ ભારતીયોને જ રસી આપવામાં આવી હતી. ભારતમાં બનેલી રસી માટે કેમ ભારતીયોને પ્રાધાન્યતા નહોતી અપાઈ ? પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘રસીનો અભાવ નબળી યોજનાઓને કારણે હતો. રેમેડેસિવીર ઈન્જેકશનની અછત એટલા માટે થઈ કે કોઈ આયોજન નહોતુ, કોઈ વ્યૂહરચના ન હોવાથી ઓક્સિજનની અછત સર્જાઈ. કોરોનાની બીજી લહેરમાં લોકોને આરોગ્યસેવા પૂરી પાડવામાં આ સરકાર નિષ્ફળ નિવડી છે.

પ્રિયંકા ગાંધીએ ભારતમાંથી કોરોનાની રસીની કરાયેલી નિકાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે, સરકારે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કોરોનાની રસીના 6 કરોડ ડોઝની નિકાસ કરી. આ સમય દરમિયાન માત્ર 3 થી 4 કરોડ ભારતીયોને જ રસી આપવામાં આવી હતી. ભારતમાં બનેલી રસી માટે કેમ ભારતીયોને પ્રાધાન્યતા નહોતી અપાઈ ? પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘રસીનો અભાવ નબળી યોજનાઓને કારણે હતો. રેમેડેસિવીર ઈન્જેકશનની અછત એટલા માટે થઈ કે કોઈ આયોજન નહોતુ, કોઈ વ્યૂહરચના ન હોવાથી ઓક્સિજનની અછત સર્જાઈ. કોરોનાની બીજી લહેરમાં લોકોને આરોગ્યસેવા પૂરી પાડવામાં આ સરકાર નિષ્ફળ નિવડી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકો ચોમેર વલોપાત કરી રહ્યાં છે. પોતાના સ્વજનને બચાવી લેવા માટે આજીજી કરતા, રોકકળ કરતા જોવા મળ્યા છે. પરંતુ વડાપ્રધાન ચૂંટણી રેલીઓમાં હસી રહ્યા છે. સમજી નથી શકતું કે આ સરકાર શું કરે છે ? સ્મશાન ઘાટ પર આવી ભીડ છે, લોકો ટોકન લઈને પોતોના સ્વજનની અંતિમક્રિયા કરવા કતારમાં ઉભા છે. આ પરિસ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે આપણે શું કરવું જોઈએ. સરકારે જે કરવું જોઈએ તે કરી રહ્યું નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ રાજકારણ કરવાનો આ સમય નથી. પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે સૂચન કર્યું છે તેના પર કામ કરવાની જરૂર છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">