Priyanka Gandhiએ મોદી સરકાર પર સાધ્યું નિશાન ,કહ્યું ખેડૂતોની આવક બમણી કરવાની વાતો માત્ર જુમલો
કોંગ્રેસના મહામંત્રી Priyanka Gandhi એ શેરડીનાં ખેડુતોની ચુકવણીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્વટ કર્યું હતું કે 14 દિવસમાં આવક બમણી કરવાની અને ચુકવણી કરવાની વાત જુમલો નીકળી છે.
કોંગ્રેસના મહામંત્રી Priyanka Gandhi એ શેરડીનાં ખેડુતોની ચુકવણીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્વટ કર્યું હતું કે 14 દિવસમાં આવક બમણી કરવાની અને ચુકવણી કરવાની વાત જુમલો નીકળી છે. કોંગ્રેસ યુપીમાં ફરી રાજકીય પ્રભુત્વ વધારવા માટે પ્રયાસ કરી રહી છે. જેમાં કોંગ્રેસ ખેડૂતોના કોઇપણ મુદ્દાને છોડવામાં માંગતી નથી. જેને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ મુદ્દે સતત પ્રહાર કરી રહ્યા છે.
लखीमपुर खीरी के किसान आलोक मिश्रा का 6 लाख रु का गन्ना भुगतान बकाया है। उनको खेती, इलाज आदि के लिए 3 लाख का लोन लेना पड़ा।
10,000 करोड़ का भुगतान फंसा होने के चलते यूपी के लाखों किसानों का यही हाल है। 14 दिन में भुगतान एवं आय दुगनी का वादा जुमला निकला।https://t.co/Tuv3dMFUa5
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 17, 2021
Priyanka Gandhi એ બુધવારે સવારે એક ટ્વીટમાં સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ શેરડીના ખેડુતોના સુગર મિલો પાસેના બાકી લેણાં મુદ્દે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન લખિમપુર ઘેરીના ખેડૂતનો પણ ઉલ્લેખ કર્યો છે.તેમણે ટ્વીટ કર્યું હતું કે, “લખમિપુર ઘેરીના ખેડૂત આલોક મિશ્રાની શેરડીની ચૂકવણી 6 લાખ રૂપિયા બાકી છે. તેમને ખેતી અને સારવાર માટે 3 લાખ રૂપિયાની લોન લેવી પડી હતી. 10,000 કરોડની ચુકવણી બાકી હોવાના લીધે યુપીના લાખો ખેડૂતોની હાલત દયનીય છે. 14 દિવસમાં ચુકવણી અને આવક બમણી કરવાનું વચન જુમલો સાબિત થયું છે.
18 ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભાનું બજેટ સત્ર સવારે 11 વાગ્યે શરૂ થશે. આ સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. વિપક્ષ પાસે અનેક મુદ્દાઓ છે કે તે બજેટ સત્ર દરમિયાન ગૃહમાં સરકારની ઘેરી શકશે. તેમની પાસે સૌથી મોટો મુદ્દો ખેડુતોનું આંદોલન છે. જેમાં વિરોધ પક્ષના નેતાઓ સમયાંતરે સામેલ થયા છે અને હવે સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે વિરોધ પક્ષો આ મુદ્દાને વધુ ચગાવશે.
કોંગ્રેસ કિસાન પંચાયતના માધ્યમથી યુપીમાં વાતાવરણ બનાવી રહી છે
કોંગ્રેસ યુપીના જુદા જુદા જિલ્લાઓમાં કિસાન પંચાયતોનું આયોજન કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ આની કમાન સંભાળી છે. પ્રિયંકા ગાંધીએ સહારનપુર અને બિજનોરમાં પણ લોકોને સંબોધન કર્યું હતું. તે સરકારને આ મુદ્દે સતત ધેરી રહ્યાં છે. જેનો ફાયદો કોંગ્રેસ વિધાનસભા ગુહમાં ઉઠાવશે તેમ લાગી રહ્યું છે.