રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયતમાં સુધાર,આઈસીયુમાંથી ખાસ રૂમમાં શિફ્ટ કરાયા

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. આજે તેમને એઈમ્સના આઈસીયુથી વિશેષ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નિવેદનના અનુસાર, તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. ડોક્ટર તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને તેને આરામ કરવાની સલાહ આપી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયતમાં સુધાર,આઈસીયુમાંથી ખાસ રૂમમાં શિફ્ટ કરાયા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( ફાઈલ ફોટો )
Follow Us:
| Updated on: Apr 03, 2021 | 4:02 PM

દેશના રાષ્ટ્રપતિ Ramnath Kovind  ની તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. આજે તેમને એઈમ્સના આઈસીયુથી વિશેષ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નિવેદનના અનુસાર, તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. ડોક્ટર તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને તેને આરામ કરવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિની બાયપાસ સર્જરી 30 માર્ચ 2021 ના ​​રોજ એઇમ્સ દિલ્હીમાં કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ Ramnath Kovind  ને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 26 માર્ચ, 2021 ના ​​રોજ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું રૂટિન ચેકઅપ કરાયું હતું. તેની બાદ ડોકટરોએ તેમને વધુ સારવાર માટે એઈમ્સમાં રિફર કર્યા. તેમને 27 માર્ચના બપોરે તેમને એઈમ્સ ખસેડાયા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાષ્ટ્રપતિની સફળ બાયપાસ સર્જરી અંગે એક ટવીટમાં દેશવાસીઓને માહિતી આપી હતી. રાષ્ટ્રપતિની સફળ બાયપાસ સર્જરી અંગે ડોકટરોની ટીમને અભિનંદન આપતાં સંરક્ષણ પ્રધાને લખ્યું કે, ‘સફળ ઓપરેશન માટે હું ડોકટરોની ટીમને અભિનંદન આપું છું. રાજનાથ સિંહે એઈમ્સના ડાયરેક્ટર સાથે રાષ્ટ્રપતિ કોવિંદની તબિયત વિશે વાતચીત કરી હતી. તેમજ તેમની તંદુરસ્તી અને ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી .

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ Ramnath Kovind  ને તાજેતરમાં જ કોરોના રસી પણ મળી હતી. તેણે આર્મી હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તે તેમની પુત્રી સાથે રસી લેવા માટે હોસ્પિટલમાં ગયા હતા. રસી લીધા પછી, તેમણે રસી લેવા યોગ્ય લોકોણે કોરોના રસી લેવા માટે પણ અપીલ કરી. આની સાથે તેમણે સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂકવા બદલ તમામ ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો.

દેશભરમાં હાલ કોરોનાના સતત વધી રહેલા કહેર વચ્ચે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી સરેરાશ ૬ કરોડથી પણ વધારે કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧ એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીકરણ માટેની મંજુરી આપી દેવામાં આવી છે. તેમજ દેશમાં રસીકરણના અભિયાનને વધુ તેજ કરવા માટે આરોગ્ય મંત્રાલયે કમર કસી છે. તેમજ કહ્યું કે કોરોના રસીકરણ હવે દેશમાં કોઈપણ જાહેર રજા વિના  ચાલુ રહેશે. તેમજ યોગ્યતા પાત્ર લોકો ઝડપથી રસી મુકાવી લે.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">