President Election 2022: BJP સંસદીય બોર્ડની બેઠક, PM મોદી થોડી વારમાં સામેલ થશે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર લાગશે મહોર

બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપ (BJP) દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.

President Election 2022: BJP સંસદીય બોર્ડની બેઠક, PM મોદી થોડી વારમાં સામેલ થશે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર લાગશે મહોર
PM Narendra ModiImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 7:39 PM

બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. પીએમ મોદી (Narendra Modi) પણ ટૂંક સમયમાં બેઠકમાં હાજરી આપશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં યોજાનારી બીજેપી સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) અને રાજનાથ સિંહે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી.

આ બેઠક બાદથી જ એવી અટકળો ચાલી રહી છે કે શું સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) નાયડુને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાનું વિચારી રહ્યું છે. નાયડુ સાથે શાહ, રાજનાથ અને નડ્ડાની મુલાકાત એટલા માટે જરૂરી માનવામાં આવી રહી છે કારણ કે આજે બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મંથન થવાનું છે.

સંખ્યાના આધારે ભાજપની સ્થિતિ મજબૂત

તમને જણાવી દઈએ કે જેપી નડ્ડા અને રાજનાથ સિંહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર સહમતિ માટે એનસીપી ચીફ શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસ ચીફ મમતા બેનર્જી, જેડીયુ ચીફ નીતીશ કુમાર, બીજેડી ચીફ નવીન પટનાયક અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંખ્યાના આધારે ભાજપના નેતૃત્વમાં એનડીએ મજબૂત સ્થિતિમાં છે. જો તેને આંધ્રપ્રદેશમાં બીજેડી અથવા સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓનું સમર્થન મળે છે, તો તેની જીત નિશ્ચિત ગણાશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

યશવંત સિન્હા વિપક્ષના ઉમેદવાર

રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે વિપક્ષે પોતાના સામાન્ય ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. વિપક્ષ તરફથી યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના નામ પર રાષ્ટ્રપતિ ચૂંટણીના સંભવિત સંયુક્ત ઉમેદવાર તરીકે વિચાર કરી રહ્યો હતો. કેટલાક વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાનાર ભાજપના ભૂતપૂર્વ નેતા સિંહાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર સહમતિ બની હતી. જણાવી દઈએ કે સિંહા બે વખત કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂક્યા છે. પ્રથમ વખત તેઓ 1990માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણામંત્રી હતા. તેઓ વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી પણ હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">