છેલ્લા ત્રણ વર્ષમાં ઓછું કામ કરતા 196 સરકારી અધિકારીઓને સમય પહેલા જ અપાઈ નિવૃત્તિ, કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી

કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા એક સતત પ્રક્રિયા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ઓછું કામ કરતા 196 સરકારી અધિકારીઓને સમય પહેલા જ અપાઈ નિવૃત્તિ, કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી
File Image of Office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 5:34 PM

બુધવારે લોકસભામાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 196 અન્ડરપર્ફોર્મિંગ અધિકારીઓ અકાળે નિવૃત્ત થયા છે. આ અધિકારીઓ પૈકી કુલ 111 ગ્રુપ એ અધિકારીઓ અને 85 ગ્રુપ બી અધિકારીઓ હતા. કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા એક સતત પ્રક્રિયા છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી અધિકારીઓની કામગીરી અને અખંડિતતાના આધારે સમીક્ષા કરવામાં કાર્યરત છે.

અપડેટ કરેલી માહિતી અનુસાર પ્રોબિટી પોર્ટલ પર વિવિધ મંત્રાલયો, વિભાગો, કેડર નિયંત્રિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2018, 2019 અને 2020 દરમિયાન નિવૃત્ત થયેલા અધિકારીઓની કુલ સંખ્યા 56 છે. જ્યારે ચાલુ વર્ષથી એટલે કે 30 જૂન 2021 સુધીમાં આ જોગવાઈ હેઠળ 196 અધિકારીઓ નિવૃત્ત થયા છે.

સમય પહેલા રિટાયર કરવાની અનુમતિ

મહત્વનું છે કે, આ જોગવાઈથી સરકારના કર્મચારીઓને અન્ય લોકોમાં ભ્રષ્ટ અથવા કામગીરી ન કરવા માટે જાહેર હિતમાં અકાળે નિવૃત્ત થવાની મંજૂરી છે. આ સમીક્ષા માટેની પ્રારંભિક સૂચનાઓ ઓગસ્ટ 2020 માં આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી અધિકારીએ કામ ચાલુ રાખવું જોઈએ કે જાહેરહિતમાં વહેલી તકે નિવૃત્ત થવું જોઈએ. આ માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ મુદ્દાઓ નોટ કરવા પડે છે. જેને લઈ બધા વિભાગો, મંત્રાલયોએ સંપૂર્ણ ડેટા અને ઇનપુટ્સ આપવાના રહેશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

સરકારે ગયા વર્ષે પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ કાર્યવાહીને ફરજિયાત નિવૃત્તિ માનવામાં આવશે. જેનો અર્થ એ થયો કે સરકારને લોકોના હિતને ધ્યાનમાં રાખીને અન્ડરપર્ફોર્મિંગ અધિકારીઓની નિવૃત્તિ લેવાનો અધિકાર હશે.

આ પણ વાંચો: સરકારે જણાવ્યું કે દેશની રક્ષામાં અર્ધસૈનિક દળના કેટલા જવાનોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો તમામ આંકડા

આ પણ વાંચો: BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">