WhatBengalThinksToday: પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ‘જયશ્રી રામ દેશદ્રોહી નારો નથી’

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે મમતા બેનર્જીની નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યો કે, બંગાળમાં ઘુસણખોરોને આશરો આપવામાં આવી રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 30, 2021 | 6:26 PM

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) શનિવારે મમતા બેનર્જીની નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યો કે, બંગાળમાં ઘુસણખોરોને આશરો આપવામાં આવી રહ્યો છે. TV9ના ‘WhatBengalThinksToday’ કાર્યક્રમમાં પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, મમતા સરકાર રોહિંગ્યાઓને આશરો આપી રહી છે. આ ઉપરાંત તેમણે પશ્ચિમ બંગાળના અનેક મુદ્દાઓ પર તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. જેને લઈને કહ્યું હતું કે ઘૂસણખોરીએ રાજ્ય સરકારનો મુદ્દો છે, સરકાર તેમને ત્યાં આશ્રય આપે છે. રાજ્યમાં વસ્તીનું પ્રમાણ બદલાઈ રહ્યું છે.

 

ખેડૂત આંદોલનને લઈને પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, બંગાળના ખેડૂતોએ કૃષિ કાયદાનું સ્વાગત કર્યું છે. બંગાળના ખેડૂતો પરેશાન છે, તેથી અહીંના ખેડૂતો નવા કાયદાથી ખુશ છે. સાથે જ કહ્યું કે, મમતા સરકાર કોઈપણ કેન્દ્રીય યોજનાનો અમલ કરી રહી નથી. પીએમ મોદી ખેડૂતોને જેટલું આપી રહ્યા છે તેટલું દેશ જોઈ રહ્યું છે. એક વર્ષમાં 10 કરોડ લોકોને 6 કરોડ રૂપિયા આપવામાં આવે છે, બંગાળને આ લાભ નથી મળી રહ્યો. કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો દેશભરમાં ખેડૂતોને મળી રહ્યો છે તે લાભ બંગાળના ખેડૂતોને નથી મળી રહ્યો.

 

 

જાવડેકરે વધુમાં કહ્યું કે આ સરકાર લોકોના મનમાંથી હવે ઉતરી ચુકી છે. હવે ટીએમસી જશે અને ભાજપ આવશે. આ સાથે જ વધુમાં કહ્યું હતું કે, “મમતા બેનર્જીએ પણ તેવું જ કર્યું જે સામ્યવાદીઓએ કર્યું. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં માત્ર હિંસા થઈ છે. હવે રાજ્યમાં સીધો મુકાબલો ટીએમસી અને ભાજપ વચ્ચે થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ બનાવ્યો. જે રાજકીય નથી. તેમણે કહ્યું કે મોદી સરકાર ઈતિહાસને સુધારી રહી છે. આ સિવાય એક કાર્યક્રમમાં ‘જય શ્રી રામ’ ના નારા અંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘જય શ્રી રામના નારાનું અપમાન કેવી રીતે કરવામાં આવે છે? એવું નથી કે તેણે તેમના ભાષણની વચ્ચે એક નારો લગાવીને તેને પરેશાન કરી. આ રાજદ્રોહનું સૂત્ર નથી, રાજકીય સૂત્ર નથી. પરંતુ આ દેશની સંસ્કૃતિ અને વારસો છે.”

 

આ સાથે જ જાવડેકરે કહ્યું કે જો લોકો આ દેશમાં એક બીજાને મળે અને રામ-રામ કહે છે. જ્યારે માણસ મરી જાય છે, ત્યારે તેને ‘રામ નામ સત્ય’ કહેવામાં આવે છે. રામ આ દેશના દરેક કણ-કણમાં છે. તેથી આ નારો લગાવવો ચૂંટણીલક્ષી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તૃણમૂલ લોકો સમજે છે કે બંગાળ પર બોલવાનો તેમનો અધિકાર છે અને અમને વારંવાર કહે છે કે તેઓ બહારથી આવ્યા છે, બહારથી કોઈ આવ્યું નથી. તેમણે કહ્યું, “બધા આ દેશના નાગરિક છે. જે મતદાર બીજા કોઈ દેશમાંથી આવ્યો નથી. બંગાળના 40 ટકા મતદારોએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યો છે”.

 

 

આ પણ વાંચો: WhatBengalThinksToday: રાજ્યપાલ ધનખડએ કહ્યું બંગાળમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, મમતા મારા પર ફેસલા નહી થોપી શકે

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">