પોતાની માંગ મુદ્દે 18માં દિવસે પણ ખેડુતોનો વિરોધ યથાવત, આવતીકાલે ભૂખ હડતાલની જાહેરાત
કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતોનું આંદોલન હજુ પણ ચાલુ છે. સતત 18માં દિવસે આજે પણ ખેડુતો પોતાની માંગ પર અડગ છે અને તેમનો વિરોધ ખેડુતોએ યથાવત રાખ્યો છે. વિરોધના ભાગરૂપે આજે ખેડુતોએ દિલ્લી-જયપુર હાઈવે બંધ કરાવાના એલાન કર્યુ હતું. સાથે જ મોટી સંખ્યામાં ખેડુતો હાઈવે પર ઉતર્યા હતાં.રાજસ્થાન બોર્ડરથી ટ્રેકટર માર્ચ યોજવાની પણ ખેડુતોએ જાહેરાત કરી […]
કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતોનું આંદોલન હજુ પણ ચાલુ છે. સતત 18માં દિવસે આજે પણ ખેડુતો પોતાની માંગ પર અડગ છે અને તેમનો વિરોધ ખેડુતોએ યથાવત રાખ્યો છે. વિરોધના ભાગરૂપે આજે ખેડુતોએ દિલ્લી-જયપુર હાઈવે બંધ કરાવાના એલાન કર્યુ હતું. સાથે જ મોટી સંખ્યામાં ખેડુતો હાઈવે પર ઉતર્યા હતાં.રાજસ્થાન બોર્ડરથી ટ્રેકટર માર્ચ યોજવાની પણ ખેડુતોએ જાહેરાત કરી હતી. જો હજુ તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આવતીકાલે ભૂખ હડતાલ કરવાની પણ ખેડુતોએ જાહેરાત કરી દીધી છે. વિરોધના ભાગરૂપે જ ખેડુતોએ પંજાબ અને હરિયાણાના ટોલ ફ્રી કરાવ્યા હતાં. ખેડુતોએ નોઈડા-દિલ્લી બોર્ડર ખોલીને ચલો દિલ્લીની જાહેરાત કરી હતી. સતત 12 દિવસથી બંધ બોર્ડરને ખેડુતોએ રાજનાથસિંહ સાથેની મુલાકાત બાદ ખોલી છે. અને 12 દિવસથી લગાવેલા બેરીકેડ હટાવી દીધા છે. જો કે, હરિયાણાના ખેડુતોએ નવા કૃષિ કાયદાને સમર્થન આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો