ઉતર ભારત કરતા કેરળમાં રાજનીતિ સારી, કેરળના સમજુ લોકો મુદ્દાઓ પર વાત કરે છેઃરાહુલ ગાંધી

2004 થી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ 2019માં અમેઠી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. તેઓએ કેરળની રાજનીતિ વિશે એક અલગ પ્રકારનું બયાન આપ્યું છે.

ઉતર ભારત કરતા કેરળમાં રાજનીતિ સારી, કેરળના સમજુ લોકો મુદ્દાઓ પર વાત કરે છેઃરાહુલ ગાંધી
રાહુલ ગાંધી (File Image)
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 24, 2021 | 9:51 AM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક એવું બયાન આપ્યું કે એના બાદ રાજનૈતિક ચર્ચાઓએ જોર પકડી લીધું. રાહુલે કહ્યું કે ઉત્તર ભારતમાં “અલગ પ્રકારના રાજકારણની આદત થઇ ગઈ હતી”, કેરળ આવવું એમના માટે અલગ અને નવો અનુભવ છે. કારણ કે અહીંના લોકોને મુદ્દામાં વધુ રસ હોય છે. કેરળ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીતલાના નેતૃત્વ હેઠળ યોજાયેલી ‘ઐશ્વર્ય યાત્રા’ના સમાપન સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કેરળની જનતા પાસેથી ઘણું શીખ્યા છે અને અહીંના લોકોની શાણપણને સમજ્યા છે. તેમણે કહ્યું, “પહેલા 15 વર્ષ હું ઉત્તર ભારતમાં સાંસદ હતો. તેથી મને વિવિધ પ્રકારના રાજકારણની ટેવ પડી ગઈ હતી. કેરળ આવવું મારા માટે એક નવો અનુભવ હતો. કારણ કે અચાનક જ મેં જોયું કે લોકો માત્ર દેખાવ માટે નહીં, પરંતુ તેના વિશે ઊંડાણ પૂર્વક મુદાઓ પર ચર્ચા કરે છે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાહુલ ગાંધીએ લોકોને કહ્યું કે તાજેતરમાં અમેરિકાના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે” કેરળના લોકો જેવું રાજકારણ પસંદ કરે છે.” એ કારણે તેઓને ત્યાં જવું ગમે છે. તેમણે કહ્યું, ‘તાજેતરમાં હું અમેરિકાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો અને મેં તેમને કહ્યું હતું કે મને કેરળ, વાયનાડ જવું ખૂબ ગમે છે. તે એક લગાવ તો છે જ, પરંતુ તમે (કેરળના લોકો) જે રીતે રાજકારણ કરો છો એ મુખ્ય કારણ છે.” કોંગ્રેસ નેતાએ કહ્યું,” જો હું કહું તો જે બુદ્ધિથી તમે રાજકારણ કરો છો. તે મારા માટે શીખવાનો અનુભવ છે. ” 2004 થી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ 2019માં અમેઠી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. તેઓ વાયનાડ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ ભાજપના સ્મૃતિ ઈરાની સામે અમેઠીમાં હારી ગયા હતા.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">