PNB Scam: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી ભારત સરકારને મોકલ્યા 17.25 કરોડ રૂપિયા

નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે.

PNB Scam: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી ભારત સરકારને મોકલ્યા 17.25 કરોડ રૂપિયા
Purvi Modi & Nirav Modi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 11:08 PM

PNB Scam: પંજાબ નેશનલ બેન્ક (PNB Scam) કૌભાંડ મામલામાં નીરવ મોદી (Nirav Modi)ની બહેન અને સરકારી સાક્ષી એવી પૂર્વી મોદી  (Purvi Modi, sister of Nirav Modi)એ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાંથી 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. જેની પ્રવર્તન નિદેશાલય (Enforcement Directorate)એ સત્તાવાર જાહેરાત કરી છે.

EDએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “24 જૂને પૂર્વી મોદીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણ કરી હતી કે તેમને લંડન યુકેમાં તેમના નામે એક બેંક ખાતું ખૂલ્યું હોવાની જાણ થઈ છે. જે તેમના ભાઇ નીરવ મોદીના કહેવા પર ખોલવામાં આવ્યું હતું. અને તે પૈસા તેમના નહોતા.”

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ” જો કે સંપૂર્ણ અને સાચા ખુલાસા કરવાની શરતો પર પૂર્વી મોદીને માફીની અનુમતિ આપવામાં  આવી હતી, જેથી તેમણે યુ.એસ.ના બેંક ખાતામાંથી 23,16,889.03 US ડોલરની રકમ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંક ખાતામાં મોકલી આપ્યા હતા”. આ રીતે 17 કરોડ જેટલી રકમ રિકવર થઈ શકી હતી.

આ આગાઉ, છેતરપિંડી કરનાર ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને યુ.કે. કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુ.કે. હાઈકોર્ટે નીરવ મોદીની અરજીને 23 જૂને ફગાવી દીધી હતી. જેમાં ભારતમાં તેમના પ્રત્યાર્પણને રોકવાની અપીલ કરવામાં આવી હતી. હકીકતમાં આ વર્ષે 15 એપ્રિલના રોજ, યુ.કે.ના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે મોદીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

નીરવ મોદી પર આ છે આરોપ

નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે. છેતરપિંડીનું આ કારસ્તાન કાયદેસરના લેટરપેટ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મામલે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ હેઠળના બે કેસ નોંધાયા હતા. 2018માં ઈન્ટરપોલ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારી હતી. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે.

આ પણ વાંચો : અમેરીકામાં ભારતીયોનો ડંકો, ભારતીય મૂળના શાલિના કુમારની મિશીગનના જ્જ તરીકે નિમણૂંક

આ પણ વાંચો: Third Wave : ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટેનો એક્શન પ્લાન, જાણો વિગતે

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">