વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
આજે દેશભરમાં ઈદ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. સાથે જ આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ છે.
આજે દેશભરમાં ઈદ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. સાથે જ આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું હતું કે, “ઈદ-ઉલ-ફિતરના શુભ પ્રસંગે શુભકામના. સૌના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરો. સાથે મળીને આપણે વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા અને માનવ કલ્યાણને આગળ વધારવા માટે કાર્ય કરી શકીએ. ઈદ મુબારક!”
Best wishes on the auspicious occasion of Eid-ul-Fitr. Praying for everyone’s good health and well-being. Powered by our collective efforts, may we overcome the global pandemic and work towards furthering human welfare.
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) May 14, 2021
પીએમ મોદીએ અન્ય બે ટ્વીટમાં લખ્યું છે કે, “તમામ દેશવાસીઓને અક્ષય તૃતીયાની શુભકામના. શુભ કાર્યની સિધ્ધિ સાથે સંકળાયેલ આ શુભ પ્રસંગથી અમને કોરોના રોગચાળાને દૂર કરવાના આપણા સંકલ્પને સાકાર કરવાની શક્તિ મળે. ભગવાન પરશુરામની જન્મજયંતિના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ.”
भगवान परशुराम की जयंती के पावन अवसर पर सभी देशवासियों को शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) May 14, 2021
આજે અક્ષય તૃતીયા પણ છે. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. પરશુરામજીનું વર્ણન રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કી પુરાણમાં પણ છે. એવું માનવામાં આવે છે કે ભારતના મોટાભાગના ગામો પરશુરામ દ્વારા સ્થાયી થયા હતા.
सभी देशवासियों को अक्षय तृतीया की मंगलकामनाएं। शुभ कार्यों की सिद्धि से जुड़ा यह पावन पर्व कोरोना महामारी पर विजय के हमारे संकल्प को साकार करने की शक्ति प्रदान करे।
— Narendra Modi (@narendramodi) May 14, 2021