ગુમનામ નાયકોનું સન્માન: PM મોદી આવતીકાલે લાચિત બરફુકનની 400મી જન્મજયંતિના સમાપન સમારોહને કરશે સંબોધિત

વડાપ્રધાને (PM Modi) જુલાઈ 2022 માં, આંધ્રપ્રદેશના ભીમાવરમ ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિની ઉજવણીની શરૂઆત કરી હતી. વડાપ્રધાનનો દેશના ઈતિહાસના એવા નાયકોનું સન્માન કરવાનો સતત પ્રયાસ રહ્યો છે, જેમના યોગદાનને યોગ્ય માન્યતા મળી નથી.

ગુમનામ નાયકોનું સન્માન: PM મોદી આવતીકાલે લાચિત બરફુકનની 400મી જન્મજયંતિના સમાપન સમારોહને કરશે સંબોધિત
PM-MODI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 10:42 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સવારે 11 વાગ્યે લાચિત બરફુકનની 400મી જન્મજયંતિના સમાપન સમારોહને સંબોધિત કરશે. પીએમ વર્ષભરના કાર્યક્રમના સમાપન સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાનનો દેશના ઈતિહાસના એવા નાયકોનું સન્માન કરવાનો સતત પ્રયાસ રહ્યો છે, જેમના યોગદાનને યોગ્ય માન્યતા મળી નથી. હાલના ભૂતકાળમાં આવા ઘણા ઉદાહરણો છે, જ્યારે વડાપ્રધાને સુનિશ્ચિત કર્યું છે કે યુવાનો અને સમાજના હિત માટે આવા ગુમનામ નાયકોને યોગ્ય મહત્વ, સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

પીએમ મોદીએ નવેમ્બર 2022 માં એક સાર્વજનિક કાર્યક્રમ ‘માનગઢ ધામની ગૌરવ ગાથા’માં ભાગ લીધો હતો. તેમણે ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી. નવેમ્બર 2022 માં પીએમ એ બેંગલુરુમાં શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું, તેમના યોગદાનની યાદ કરીને બનાવવામાં આવી હતી. પીએમ એ જુલાઈ 2022 માં આંધ્રપ્રદેશના ભીમાવરમ ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જયંતિના સમારોહનો શુભારંભ કર્યો હતો.

પીએમએ આ હીરોને પણ કર્યા યાદ

જૂન 2022 માં પીએમ એ મુંબઈ રાજભવન ખાતે ભૂગર્ભ બ્રિટિશ યુગના બંકરની અંદર ભારતીય ક્રાંતિકારીઓની એક નવી બનાવેલી ગેલેરી ‘ક્રાંતિ ગાથા’નું ઉદ્ઘાટન કર્યું હતું. બંકરની વર્ષ 2016માં રાજભવનની નીચે આ શોધ થઈ હતી. ભારતીય ક્રાંતિકારીઓની આ ગેલેરીમાં વાસુદેવ બળવંત ફડકે, ચાફેકર બંધુ, બાલ ગંગાધર તિલક, વીર સાવરકર, બાબારાવ સાવરકર, ક્રાંતિગુરુ લહુજી સાલ્વે, અનંત લક્ષ્મણ કાન્હેરે, રાજગુરુ, મેડમ ભીકાજી કામા, વગેરેનો સમાવેશ થાય છે. નવેમ્બર 2021 માં પીએમ એ રાંચીમાં ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ-સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રિય યાદો

વડાપ્રધાનના વિઝન હેઠળ દેશભરના વિવિધ રાજ્યો અને પ્રદેશોના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓને સાચવવા માટે દસ આદિજાતિ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં પીએમ એ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં મહારાજા સુહેલદેવ મેમોરિયલનો શિલાન્યાસ કર્યો. ફેબ્રુઆરી 2019માં પીએમ એ પાણીપત યુદ્ધના નાયકોના સન્માન માટે ‘બેટલ્સ ઓફ પાનીપત મ્યુઝિયમ’, પાણીપતનો શિલાન્યાસ કર્યો હતો.

ગુમનામ નાયકોનું સન્માન કરી રહ્યા છે પીએમ મોદી

આ ઔપચારિક કાર્યક્રમો સિવાય પીએમ મોદી ગુમનામ નાયકોને યાદ અને ઉલ્લેખ કરી રહ્યા છે. સમય-સમય પર, તેઓ તેમની સભાઓ, વાતચીત, સાર્વજનિક ભાષણો, ટ્વીટ્સ અને અનૌપચારિક ચર્ચાઓમાં પણ તેમના યોગદાનને યાદ કરે છે. ઉદાહરણ તરીકે પીએમ એ અનેક અવસરો પર સ્વતંત્રતા ચળવળમાં રાણી કિત્તુર ચન્નમ્માના યોગદાનને યાદ કર્યું, જેમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન અને આ વર્ષે તેમનું સ્વતંત્રતા દિવસનું ભાષણ પણ સામેલ છે. 2015 માં પીએમ એ રાણી ગાઈદિન્લ્યુ પર 100 રૂપિયાનો સ્મારક સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">